મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા મારી બહેનને કેમ હેરાન કરો છો તેવું કહીને મોરબીમાં પુત્રવધૂના ભાઈએ મહિલાને મારમાર્યો મોરબીના લખધીરપુર રોડ ઉપર રિક્ષા ચાલકે હડફેટે લેતા રાહદારી યુવાનને માથામાં હેમરેજ મોરબીના રંગપર નજીક કામે જવા માટે ઉભેલા યુવાન ઉપર બે શખ્સોએ કર્યો છરી વડે હુમલો ટંકારાના ઘુનડા ગામે વાડીના કૂવામાંથી 40 કિલો કોપર વાયરની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડ ઉપર ત્રિપલ સવારી બાઈક-રીક્ષા વચ્ચે અકસ્માત, ત્રણ ભાઈ સહિત ચાર ઈજાગ્રસ્તો સારવારમાં


SHARE







મોરબીના વાવડી રોડ ઉપર ત્રિપલ સવારી બાઈક-રીક્ષા વચ્ચે અકસ્માત, ત્રણ ભાઈ સહિત ચાર ઈજાગ્રસ્તો સારવારમાં
 
મોરબીના નાની વાવડી જતા રસ્તે ગૌશાળા નજીક વહેલી સવારે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ત્રીપલ સવારી બાઇક અને છકડો રિક્ષા વચ્ચે થયેલ અકસ્માત બનાવમાં ત્રણ ભાઈ સહિત કુલ ચાર લોકો ઈજા પામ્યા હોય સારવાર માટે ખસેડાયા હતા.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના નાની વાવડી ગામ તરફ જતા રસ્તે આવેલ સતનામ ગૌશાળા પાસે તા.૧-૨ ને રવિવારના રોજ સવારે નવેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ત્રિપલ સવારી બાઈક અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત થતા આ બનાવમાં મોરબીના માણેકવાડા ગામના રહેવાસી પવન ધનજીભાઈ ઉચાણા કોળી (૨૦), વાલજી ધનજીભાઈ ઉચાણા (૨૫) અને શંકરભાઈ અનાભાઈ ઉચાણા (૩૨) કે જે ત્રણેય બાઈકમાં સવાર હતા તેઓને ઈજા પહોંચી હોય સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે સામે છકડો રીક્ષા પણ પલ્ટી મારી ગયેલ હોય તેમાં બેઠેલા જોસનાબેન કરણભાઈ સોલંકી (૨૫) રહે. દલવાડી સર્કલ પાસે કંડલા બાયપાસ મોરબીને ઈજા થઈ હોય તેમને પણ અત્રે સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા આ બાબતે નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.વધુમાં મળતી માહિતી પ્રમાણે ત્રણેય યુવાનો બાઈકમાં બેસીને કામ માટે મોરબી આવતા હતા ત્યારે સતનામ ગૌશાળા પાસે તેઓનું બાઇક છકડો રીક્ષા સાથે અથડાયુ હતુ.જેમાં તે ત્રણ યુવાનોને તથા છકડામાં બેઠેલા એક મહિલાને ઇજા થયેલ હોય સારવાર માટે ખસેડાયા હતા.

દવા પી જતા સારવારમાં

મોરબીના પંચાસર ગામ શિવનગર વિસ્તારમાં રહેતા રમેશભાઈ ગોરધનભાઈ મેવા (૪૭) એ વાવડી ગામની સીમામાં કોઈ કારણસર દવા પી લીધી હોય તેઓને અહિંની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી. જ્યારે મોરબીના જેતપર રોડ વિરાટનગર પાસે બાઈક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા પ્રદીપભાઈ ઘનશ્યામભાઈ ગણાવા (૨૫) રહે.ઘુંટુ તા.મોરબીને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.તેમ પોલીસે જણાવેલ છે.

આધેડ સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે જાંબુડીયા ગામે નાયરાના પંપ પાસે ડાબા પગના ભાગે ટ્રકનું વ્હીલ ફરી જતા ઇજાગ્રસ્ત થયેલા અસલ્મભાઈ કાસમભાઈ શેખ (૫૬) રહે.આઝાદ ગલી નીયાજ ચોકડી બેલગાંવ ને સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના મકનસર ગામે મારામારીના બનાવમાં ઈજા થતા કિશોરભાઈ રતાભાઇ રાવત નામના ૩૬ વર્ષના યુવાનને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હોય પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

તેમજ મોરબીની પીપળીયા ચોકડીથી ગુંગણ જતા સમયે બાઇક સ્લીપ થવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં જયદીપ હરેશભાઈ ખીમાણીયા (૨૫) રહે.કૃષ્ણનગર (ગુંગણ) તા.જી.મોરબીને ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.તેમજ મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં સત્યેન્દ્ર બિહારીલાલ (૨૬) રહે.પાવડીયારી જેતપર રોડને ઇજા પામેલ હાલતમાં સિવિલે ખસેડવામાં આવ્યો હતો

 
 





Latest News