મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મેદસ્વિતા નિવારણ અને નિયંત્રણ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક મહિના સુધી કેમ્પ યોજાશે


SHARE











મોરબીમાં મેદસ્વિતા નિવારણ અને નિયંત્રણ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક મહિના સુધી કેમ્પ યોજાશે

સરકારના FIT INDIA મૂવમેન્ટ અને સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૨૦ જાન્યુઆરી થી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન આદર્શ શાળા, ન્યુ આદર્શ સોસાયટી, સરદાર બાગ પાછળ, શનાળા રોડ, મોરબી ખાતે સવારે ૦૯:૩૦ થી ૧૧;૦૦ દરમિયાન મેદસ્વિતા મુક્ત અભિયાન અંતર્ગત ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમનું વજન વધારે તેવા લોકો વજન ઘટાડવા અને મેદસ્વિતાને નિયંત્રણમાં લાવવા તથા તેના નિવારણ માટે આ સોનેરી તકનો લાભ લઈ શકે છે. આ કેમ્પ તમારા તનના ભાર સાથે સાથે મનનો ભાર ઘટાડી સ્વસ્થ, સુખી અને આનંદમય જીવન સાથે જોડશે.

યોગ કેમ્પમાં પૂર્ણ સમય હાજર રહેનારને જ સંપૂર્ણ લાભ મળશે. કેમ્પમાં નિયમિતતા રહે તે માટે ટોકન સ્વરૂપે ૩૦૦ રજીસ્ટ્રેશન ફી લેવામાં આવશે. બાકી સમગ્ર કેમ્પ નિઃશુલ્ક છે. વધુ વિગત માટે 9033643781, 9879532457 તથા 7984357003 ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે. મેદસ્વિતા એ માત્ર શરીરની ચરબી વધવાની સમસ્યા નથી, પરંતુ તે હૃદયરોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, ઘૂંટણ દર્દ, કમર દર્દ, કેન્સર અને અન્ય ગંભીર રોગોનું મુખ્ય કારણ બની શકે છે. આધુનિક જીવનશૈલી, અસંતુલિત આહાર અને શારીરિક સક્રિયતાના અભાવના કારણે આજની પેઢી વધુ મેદસ્વિતા તરફ ધકાયેલ છે. WHO - (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) એ મેદસ્વિતાને વર્ષ ૧૯૯૭ માં 'ગ્લોબલ હેલ્થ પેન્ડેમિક જાહેર કરી છે.

આજની જીવનશૈલીમાં તેલ, ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડ (કોલ્ડડ્રિક્સ, જંકફૂડ) વધુ પ્રમાણમાં લેવાથી, શારીરિક કસરત અને ફિટનેસના અભાવથી, વધુ કેલેરીવાળા અને અસંતુલિત આહાર થી તથા તણાવ અને અનિયમિત જીવનશૈલી, કુટુંબમાં મેદસ્વિતાનો ઇતિહાસ અને હોર્મોનલ અસંતુલન (થાઈરોઈડ, ડાયાબિટીસ) ના કારણે લોકોને મેદસ્વિતાનો સામનો કરવો પડે છે.






Latest News