મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં આગામી રવિવારે આહીર સમાજનો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે


SHARE











મોરબીમાં આગામી રવિવારે આહીર સમાજનો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા આગામી રવિવારના રોજ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને સમાજના આગેવાનો તેમજ શ્રેષ્ઠીઓના હસ્તે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા દરવર્ષે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે દરમ્યાન આ વર્ષે આગામી તા.૨૬ ને રવિવારે બપોરે દોઢ વાગ્યે મહેન્દ્રસિંહજી ટાઉન હોલ ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે સ્પર્ધાત્મક પરીક્ષા માટે માર્ગદર્શન આપવામાં આવશે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સ્વ. શીતલબેન રાહુલભાઈ બાલાસરાના સ્મરણાર્થે અરવિંદભાઈ ચાવડાના સૌજન્યથી ૧૨ માં સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય રામબાઈ માંની જગ્યા-વવાણીયાના મહંત જગન્નાથ મહારાજના હસ્તે કરવામાં આવશે. અને આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે મંત્રી ચંદુભાઈ હુંબલ, વક્તા તરીકે મહિલા અને બાળ વિકાસ વિભાગના જયશ્રીબેન જરુ અને સિનિયર એડવોકેટ વી. એચ. કનારા, મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ઇલાબેન ચૌહાણ, સ્ટેટ જી.એસ.ટી.ના આસિસ્ટન્ટ કમિશ્નર નિર્મલભાઈ ગોગરા, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન સહિતના હાજર રહેશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જ્ઞાતિજનોને મંત્રી મયુરભાઈ ગજીયા અને પ્રમુખ અજયભાઇ ડાંગર દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News