મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં ઓન્ટ્રોપ્યુનોર ડે ની ઉજવણી કરાઇ


SHARE











મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં ઓન્ટ્રોપ્યુનોર ડે ની ઉજવણી કરાઇ

વિધાર્થીઓને વિવિધ સહઅભ્યાસીક પ્રવૃતિઓ દ્વારા ઉતમ શિક્ષણ માટે જાણીતી ઓમ શાંતિ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં કોમર્સના વિધાર્થીઓને વ્યવસાયી ઉધમી તરીકે કારકિર્દીની તક મળે તથા પોતાના અવનવા વિચારોની ધાર કાઢીને વેગવંતા બનાવવાના હેતુથી અવનવું આયોજન કરવામાં આવ્યું હતું. અને ધો.૧૧ અને ૧૨ કોમર્સના વિધાર્થીઓએ નવા બિઝનેસ આઈડિયાઝને પ્રોજેક્ટ સ્વરુપે પ્રેઝન્ટ કર્યા હતા. જેમાં ફુડ પોઈન્ટથી લઈને ટેકનોલોજીકલી સાઉન્ડ ગેઝેટસના પ્રોડક્શનથી માર્કેટીંગ સુધીના વિવિધ પ્રોજેક્ટ ગૃપ બનાવી રજૂ કર્યા હતા. આ અવસરે ગૃપના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, સિધ્ધાર્થ પટેલ, સૌરાષ્ટ્ર એકેડેમીક એસો. ના જનરલ સેક્રેટરી રવીન્દ્રભાઈ ત્રિવેદી, ઓમવિવિઆઇએમ કોલેજના પ્રિન્સિપાલ ધર્મેન્દ્ર ગડેશિયા, ન્યુ ઓમ શાંતિ વિધાલયના પ્રિન્સિપાલ અંકિતભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ નિર્ણાયક તરીકે ભાવિન ચોટાઈ તથા ધીમંત કાસૂન્દ્રાએ સેવાઓ આપી હતી તથા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રિન્સિપાલ સનાકાઝી તથા કોમર્સ વિભાગનાં સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News