મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીની ઓમ વિદ્યાવાસીની પીટીસી કોલેજના તાલીમાર્થીઓએ વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવાય ? એનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું


SHARE













મોરબીની ઓમ વિદ્યાવાસીની પીટીસી કોલેજના તાલીમાર્થીઓએ વિદ્યાર્થીઓને કેવી રીતે ભણાવાય ? એનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું

મોરબી ઓમ વિદ્યાવાસીની પીટીસી કોલેજમાં પ્રાથમિક શિક્ષક બનવા માટે પીટીસીની તાલીમ કે જે હવે ડી.એલ.એડ. તરીકે ઓળખાય છે એની તાલીમ પ્રાપ્ત કરતાં પ્રથમ વર્ષના 56 જેટલા પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માધાપરવાડી કુમાર- કન્યા શાળાની મુલાકાત લઈ બાલવાટિકાથી ધો.8 આઠમાં શિક્ષકો દ્વારા ભણાવવામાં આવતા પાઠનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી નોંધો તૈયાર કરી હતી. આ તકે શાળાના પ્રિન્સિપાલ અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ શાળાનો પરિચય, શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ પીટીસીનું મહત્વ, શિક્ષકોનું મહત્વ, શિક્ષકોના વ્યવસાયની ગરિમા,કેવી રીતે અધ્યયન કરવું અને કેવી રીતે અધ્યાપન કરાવવું તેંની વિસ્તૃત સમજ આપી હતી ત્યારબાદ બધા તાલીમાર્થી ત્રણ ત્રણની જોડીમાં માધાપર કુમાર અને કન્યા એમ બંને શાળાના બાલવાટીકાથી ધો.8 આઠના વર્ગોમાં બેસીને પાઠ નિરિક્ષણ કરી પ્રત્યક્ષ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તાલીમાર્થીઓ સાથે કોલેજના પ્રાધ્યાપક કેતન જોષી જોડ્યા હતા અને એમને પણ તાલીમાર્થીઓને તાલીમ આપી હતી,સાથે બીજા અધ્યાપકો પણ જોડાયા હતાં.






Latest News