મોરબી સાર્થક વિદ્યામંદિરની ગરબા ટીમ ઓડિશા રાષ્ટ્રીય કાર્યક્રમમાં પહોચી
SHARE
મોરબી સાર્થક વિદ્યામંદિરની ગરબા ટીમ ઓડિશા રાષ્ટ્રીય કાર્યક્રમમાં પહોચી
ભારતીય સંસ્કૃતીની આગવી ઓળખ એટલે રાસ-ગરબા કે જેને આજે યુનેસ્કોએ પણ સ્વીકાર્યું છે. ત્યારે મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરની ટીમ આજે ઓડિશા ખાતે વિશ્વ પ્રખ્યાત મહોત્સવ 78મો ધનુયાત્રા મહોત્સવ-ઓડિશામાં પોતાનું ત્રિ-દિવસીય પર્ફોર્મન્સ આપી રહી છે. ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી સાર્થક વિદ્યામંદિરની ગરબા ટીમ કે જેને કોરિયોગ્રાફ રવિરાજ પૈજા ગુરુજી છે ત્યારે સાર્થક વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓને અહી સુધી પહોચડવા માટે રમત ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃતિની કચેરી મોરબી તેમજ ગાંધીનગર ટીમનો શાળાના સંચાલકો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.