ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિધાલય શાળામાં ભારતી સંકલ્પ દિવસ ઉજવાયો


SHARE











મોરબીની ભારતી વિધાલય શાળામાં ભારતી સંકલ્પ દિવસ ઉજવાયો

મોરબીમાં આવેલ ભારતી વિધાલય શાળામાં અંગ્રેજી વર્ષના પ્રથમ દિવસને Happy New Year ની જગ્યાએ ભારતી સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના દરેક વિધાર્થી અને શિક્ષકોએ પોતાના જીવનના ઉચ્ચ સપનાને સાકાર કરવા માટે દ્રઢ સંકલ્પ લીધો અને તે સંકલ્પને પૂર્ણ કરવા માટે તે શું મહેનત કરશે ? તેની પણ લેખિત નોંધ કરેલ હતી. તેની સાથે સામૂહિક વિદ્યાર્થીઓએ સહિતના તમામે પોતાના માતા, પિતા અને ગુરુજી તેમજ વડીલોને હર હંમેશ આદર સત્કાર આપવા માટેનો સંકલ્પ કર્યો હતો અને એવું એક પણ કાર્ય નહીં કરે કે જેથી તેના કુળ, સમાજ કે દેશને લાંછન લાગે તેવો પણ સંકલ્પ કર્યો હતો. શાળાના સંચાલક કૌશલભાઈ મહેતાએ પશ્ચિમી દેશોના તહેવારનું અનુકરણ કરવા કરતાં આપણી અમૂલ્ય ભારતીય સંસ્કૃતિને ટકાવી રાખવા અને જાળવી રાખવા માટે દરેક વિધાર્થી અને શિક્ષકોને માહિતી આપેલ હતી અને શાળા પ્રમુખ હિતેશભાઇ મહેતાએ આપણી ભારતીય સંસ્કૃતિ વિદેશી સંસ્કૃતિથી શા માટે વધુ ચડિયાતી છે તેની સવિશેષ માહિતી આપેલ હતો અને વિદેશી સંસ્કૃતિ કરતાં ભારતીય સંસ્કૃતિ અપનાવવા માટે અપીલ કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.






Latest News