મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પરિણીતાને જીવતી સળગાવી નાખનારા પ્રેમીને આજીવન કેદની સજા: 35 હજારનો દંડ


SHARE













વાંકાનેરમાં પરિણીતાને જીવતી સળગાવી નાખનારા પ્રેમીને આજીવન કેદની સજા: 35 હજારનો દંડ

વાંકાનેરમાં પરિણીતાને તેના પ્રેમીએ પતિ અને બાળકોને છોડીને તેની સાથે રહેવા માટે આવવા કહ્યું હતું જો કે, પરિણીતાએ ના પડી હતી જેથી કરીને પરિણીતાને તેના પ્રેમીએ કેરોસીન છાંટીને સળગાવી દીધી હતી અને તે મહિલાનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જેથી કરીને હત્યાનો ગુનો નોંધાયેલ હતો જે કેસ મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં જિલ્લાના સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલો અને રજૂ કરવામાં આવેલ પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને આજીવન કેદની સજા અને 35 હજારનો દંડ ફટકાર્યો છે.

કેસની મળતી માહિતી મુજબ તા 13/9/2014 ના રોજ વાંકાનેરના રહેવાસી સીતાબેન મહેન્દ્રભાઈ કરાર નામની પરિણીતાએ તેના પ્રેમી આરોપી શીવાભાઈ કાનજીભાઈ ભાટી સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેને આરોપી શીવાભાઈ ભાટી સાથે એકાદ વર્ષથી પ્રેમસંબંધ હતો અને શીવાભાઈ ભાટીએ ફરિયાદીને તેના પતિ અને બાળકોને છોડીને તેની સાથે રહેવા માટે આવવા કહ્યું હતું જો કે, ફરિયાદી ના પાડી હતી જેથી શીવાભાઈ ભાટીએ ફરિયાદીને ગાળો આપીને જો તું મારી નહિ થાય તો તારા પતિની પણ નહિ થવા દઉં તેવું કહીને ફરિયાદીની માથે કેરોસીન છાંટીને કાંડી ચાંપી દીધી હતી જેથી કરીને ફરિયાદી ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવેલ હતો આ કેસ મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટના જજ પી.વી.શ્રીવાસ્તવ સમક્ષ ચાલી ગયો હતો જેમાં જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીએ કરેલી દલીલો તેમજ રજૂ કરેલા આધાર પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી શીવાભાઈ કાનજીભાઈ ભાટીને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી છે અને જુદીજુદી કલમ હેઠળ કુલ મળીને 35 હજારનો દંડ કર્યો છે.






Latest News