મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સનગરમાં રહેતા રેલ્વે કર્મચારીનું હાર્ટ એટેકથી મોત


SHARE













મોરબીના લાયન્સનગરમાં રહેતા રેલ્વે કર્મચારીનું હાર્ટ એટેકથી મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગરમાં રહેતા યુવાનનું ઘરે હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલે લઈને આવ્યા હતા અને યુવાનનું હાર્ટ એટેકથી મોત નીપજયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને તેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વીસેરા લઈને આગળની કાર્યાવહી કરવામાં આવેલ છે.

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ વાલાભાઈ ચાવડા (35) નામનો યુવાન પોતે પોતાને ઘરે હતો ત્યારે કોઈ પણ કારણોસર તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને ગૌતમભાઈ ચાવડા પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની તપાસ કરી રહેલા સતિશભાઈ ગરચર પાસેથી મળેલ માહિતી મુજબ મૃતક ગોવિંદભાઈ વાલાભાઈ ચાવડા સાંતલપુર ખાતે રેલ્વેમાં નોકરી કરતાં હતા અને તેઓ મોરબી આવ્યા હતા દરમ્યાન તેનું તેના ઘરે મોત નીપજયું છે અને આ યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજયું હોવાનું હાલમાં ડોક્ટરે જણાવ્યુ છે જો કે, મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વીસેરા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.






Latest News