મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજે લીધેલ રૂપિયા ચૂકવી દીધા છતાં વધુ 88 લાખની પઠાણી ઉઘરાણી, બે સામે ફરિયાદ: એકની ધરપકડ


SHARE













મોરબીમાં વ્યાજે લીધેલ રૂપિયા ચૂકવી દીધા છતાં વધુ 88 લાખની પઠાણી ઉઘરાણી, બે સામે ફરિયાદ: એકની ધરપકડ

મોરબીમાં રહેતા વેપારી યુવાનોને રૂપિયાની જરૂર હોવાથી જુદા જુદા બે વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને જેટલા રૂપિયા લીધા હતા તેના કરતા વધુ રૂપિયા વ્યાજ સહિત પરચૂકવી દીધા હોવા છતાં પણ તેની પાસેથી કુલ મળીને વધુ 88 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી અને યુવાન તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી ભોગ બનેલા યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં એક આરોપીને પકડીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં રાતડીયાની વાડી મેન કેનાલ રામદેવપીરના મંદિરની બાજુમાં રહેતા કિશોરભાઈ જીણાભાઈ પરમાર (35)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રકાશભાઈ રામજીભાઈ પઢીયાર રહે. નાના રામપર તથા ભરતભાઈ રબારી રહે. થોરાળા વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, વર્ષ 2024 ના જુલાઈ મહિનામાં તેને રૂપિયાની જરૂર હોવાથી સૌપ્રથમ તેણે 1 લાખ રૂપિયા હાથ ઉછીને લીધા હતા અને ત્યારબાદ તેને નાણાંની જરૂર પડતા આરોપી પાસેથી કટકે કટકે 21 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જે રૂપિયા તેણે પરત આપી દીધા છે અને તેનું નોટરી લખાણ કરેલ છે છતાં પણ પ્રકાશભાઈ પઢિયાર દ્વારા ફરિયાદી પાસેથી એક લાખના એક દિવસમાં 800 રૂપિયા લેખે વ્યાજના કટકી કટકે 26 લાખ રૂપિયા લઈ લીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરીને તેની પાસેથી વધુ 78 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલ છે અને જો રૂપિયા નહીં આપે તો તેને તથા તેના પરિવારને મારી નાખશે તેવી ધમકી આપેલ છે.

જ્યારે ભરતભાઈ રબારી પાસેથી પાંચ લાખ રૂપિયા લીધા હતા અને તેની સામે કટકે-કટકે સાત લાખ રૂપિયા આપી દીધા છે તેમ છતાં પણ વધુ 10 લાખ રૂપિયા વ્યાજ સહિતની માંગણી કરવામા આવતી હતી અને જો રૂપિયા નહીં આપે તો તેને તથા તેના પરિવારને જાનથી મારી નાખશે તેવી ધમકી આપેલ છે આમ બંને આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી યુવાને મોરબી એ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી લાલજી ઉર્ફે ભરતભાઈ અણદાભાઈ રાઠોડ જાતે રબારી (30) રહે. પ્રાથમિક શાળા પાસે થોરાળા વાળાની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News