વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીની મોડેલ સ્કૂલ મોટી બરાર ખાતે નશાબંધી ખાતા દ્રારા વ્યસનમુક્તિ અંગે વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ


SHARE











મોરબીની મોડેલ સ્કૂલ મોટી બરાર ખાતે નશાબંધી ખાતા દ્રારા વ્યસનમુક્તિ અંગે વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ

નશાબંધી અને આબકારી ખાતું રાજકોટ આયોજિત નશાબંધી પ્રચાર કાર્યક્રમ અંતર્ગત વ્યસનમુક્તિએ જ જીવનની સાચી શક્તિ વિષય પર વક્તૃત્વ સ્પર્ધાની  મોડેલ સ્કૂલ મોટી બરાર ખાતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

નશાબંધી અને આબકારી ખાતું રાજકોટ આયોજિત નશાબંધી પ્રચાર કાર્યક્રમ અંતર્ગત વ્યસનમુક્તિએ જ સાચું જીવન વિષય પર વક્તૃત્વ સ્પર્ધાની મોડેલ સ્કૂલ મોટી બરાર ખાતે ઉજવણી કરવામાં આવી હતી.જેમાં નશાબંધીથી નવજીવન, નશો એ જ નાશનું મૂળ છે અને વ્યસનમુક્તિ એ જ  જીવનની સાચી શક્તિ વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોડેલ સ્કૂલ મોટીબરારના વિદ્યાર્થીઓએ વકતૃત્વ સ્પર્ધામાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. 

વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે વંશિકા ખડોલા, દ્વિતીય નંબરે હિરાલી પરમાર  અને  ત્રીજા નંબરે આરાધના ચાવડા વિજેતા થયેલ છે.તમામ સ્પર્ધકોને નંબર પ્રાપ્ત કરવા બદલ અને સ્પર્ધામાં ભાગ લેવા બદલ ઇનામો આપવામાં આવેલ અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી તમામ ઉપસ્થિત મહેમાનોએ શુભેચ્છાઓ આપી હતી. કાર્યક્રમની તમામ વ્યવસ્થા ભરતભાઈ વિડજા આચાર્ય મોડેલ સ્કૂલ મોટીબરાર અને તેમની શિક્ષકોની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે ભરતભાઇ વિડજા અને મોડેલ સ્કૂલના તમામ શિક્ષકોએ ખૂબ સહયોગ અને સહકાર આપેલ હતો. 

આ કાર્યક્રમને શુભેચ્છા આપવા માટે અને સફળ બનાવવા માટે નશાબંધી અને આબકારી ખાતું રાજકોટના નશાબંધી નિયોજક એસ.એન.ચાનપુરા, નશાબંધી અને આબકારી ખાતું રાજકોટના પીએસઆઇ વિજય ચૌહાણ અને નિર્ણાયકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓને એસ.એન.ચાનપુરા દ્વારા વ્યસનમુક્તિ અંગે જાગૃત કર્યા અને દીકરી વ્હાલનો દરિયોએ વિષય પર ખૂબ સુંદર વક્તવ્ય આપવામાં આવેલ હતું અને તમામ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પણ વ્યસન ન કરવાની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. અંતે આભારવિધિ પીએસઆઇ વિજય ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા ડી.એસ. ગરાળા દ્વારા કરવામાં આવ્યું હતું.

 






Latest News