મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

મોરબીના ધુળકોટ અને રફાળેશ્વરમાં મારામારીમાં ઘવાયેલ છ લોકો સારવારમાં


SHARE













મોરબીના ધુળકોટ અને રફાળેશ્વરમાં મારામારીમાં ઘવાયેલ છ લોકો સારવારમાં

મોરબી તાલુકાના ધુળકોટ ગામે થયેલી મારામારીમાં પિતા-પુત્રને ઈજા થતા સારવાર માટે ખસેડાયા હતા. જયારે વાંકાનેર હાઈવે રફાળેશ્વર ગામે સિરામીક યુનીટ પાસે મારામારીમાં ચારને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા.

 ધુળકોટ ગામે થયેલી મારામારીમાં ઈજા થતા અરવિંદભાઈ વશરામભાઈ પરમાર (36) અને આદિત્ય અરવિંદભાઈ પરમાર (16) રહે. ધુળકોટને ઈજાઓ થતા સિવિલે સારવાર માટે ખસેડાયા હતા. તાલુકા પોલીસ મથકના એચ.એમ. ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે.જયારે મારામારીનો બીજો બનાવ મોરબી-વાંકાનેર હાઈવે રફાળેશ્વર ગામે બન્યો હતો.જેમાં ત્યાં આવેલ વેન્ટો સીરામીકના પાસે થયેલ મારામારીમાં ઈજાઓ થતા દિપક મંગીલાલ દેવદાણી (14) રહે. વીસીપરા મોરબી, રાજ રાજુભાઈ (23) રહે. પાડાપુલ પાસે, મોરબી-2, ભાયુ મંગલસિંહ ભુરીયા (25) રહે. રફાળેશ્વર અને મયુર મોતીભાઈ સુસરા (26) રહે. વીસીપરાને ઈજાઓ થતા ચારેયને અત્રેની સિવિલે સારવાર માટે ખસેડાયા હોય પોલીસે નોંધ કરી છે. જેની આગળની તપાસ એ.એચ. પરમાર ચલાવી રહ્યા છે.

અમદાવાદ પોલીસની કાર્યવાહી
 અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છેતરપીંડી તથા આઈટી એકટ મુજબ નોંધાયેલ ગુનામાં ત્યાંના હેડ કોન્સ. દિનેશ ભલાભાઈ મોરબી આવ્યા હતા અને અહીંના માળીયા ફાટક ખાતેથી જીજ્ઞેશ ભીખુભાઈ ટાટમીયા આહિર (27) રહે. રામજી મંદિર વાળી શેરી લાલપર તા.જી. મોરબીને હસ્તગત કર્યો હતો અને તપાસ-પૂછપરછ માટે તેને અમદાવાદ લઈ જવાયો હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માત
 મોરબી-વાંકાનેર હાઈવે બંધુનગર ગામ પાસેથી બાઈક લઈને જઈ રહેલા અજયકુમાર રૂજીતસિંગ રેખપાલ (35) રહે. ઢુવા તા.વાંકાનેરને ઈજા થતા સારવાર માટે ખસેડાયો હતો. જયારે રંગપરની સિમમાં થયેલી મારામારીમાં ઈજાઓ થતા સુનિતાબેન મનોજભાઈ સાલાણી (35)ને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવેલ છે.

હળવદના વેગડવાવ ગામે બાઈકની આડે અચાનક જ કુતરૂ આડુ ઉતરતા વાહન સ્લીપ થઈ જતા ધીરજલાલ ભવાનભાઈ થડોદા (66) અને કાંતાબેન ધીરજલાલ (60) રહે. બંને રણમલપુરને અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા તેમજ સામાકાંઠે ગુ.હા. બોર્ડમાં રહેતા વસંતબા ભુપતસિંહ ઝાલા (64) બાઈક પાછળ બેસીને મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે બાઈકમાંથી પડી જતા ડાબા પગે ઈજા થતા અત્રેની આયુષમાં ખસેડાયા હતા.મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસેના આવાસ યોજનાના કવાટરમાં રહેતા સંગીતાબેન જીજ્ઞેશભાઈ ગૌસ્વામી નામના 33 વર્ષીય મહિલા કોઈ કારણસર ફિનાઈલ પી જતા સિવિલે સારવાર માટે લવાયા હતા.






Latest News