મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

મોરબીમાં 4થી 5 કરોડની ઉઘરાણી માટે યુવાનનું અપહરણ કરીને વાડીએ લઈ જઈને મારમાર્યો: 3 આરોપી પોલીસની હાથવેંતમાં, 10.40 લાખનો મુદામાલ કબ્જે


SHARE













મોરબીના પીપળી રોડ ઉપર દુકાને બેઠેલા યુવાનના ભાઈ પાસેથી ચાર થી પાંચ કરોડ રૂપિયા લેવાના હતા જેથી ઉઘરાણી કરવા માટે પાંચ જેટલા શખ્સો યુવાનની દુકાને આવ્યા હતા અને ત્યાં યુવાનને મારમાર્યો હતો અને ત્યાર બાદ તે યુવાનનું આરોપીઓ અપહરણ કરીને ભરતનગર ગામ પાસે આવેલ વાડીએ લઈ ગયા હતા અને ત્યાં તેને ઢીકાપાટુનો તથા લાકડી મારમાર્યો હતો જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ છે જે ગુનામાં પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણ આરોપી પોલીસની હાથવેંતમાં છે અને કાર સહિત 10.40 લાખનો મુદામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે.


મોરબીમાં ત્રાજપર પાછળ આવેલ મયુરનગર સોસાયટી પાસે રવિનગરમાં રહેતા અમરતસિંઘ ભુરો ઉર્ફે ભુરજીભાઈ સોઢા (25) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં પિયુષભાઈ પટેલ, નવઘણભાઇ, ભગીભાઈ તથા અજાણ્યા શખ્સની સામે અપહરણની ફરીયાદ નોંધાવી છે જેમાંજણાવ્યું છે કે, પિયુષભાઈ પટેલને ફરીયાદીના ભાઈ નરસિંઘ સોઢા પાસેથી 4 થી 5 કરોડ રૂપીયા લેવાના હતા જેથી પિયુષભાઈ પટેલ સહિતના તમામ મોરબીના પીપળી રોડ ઉપર કોયો સિરામિક પાસે આવેલ ફરિયાદીની સચિયાર કોમ્યુનિકેશન નામની મોબાઈલની દુકાન ખાતે આવ્યા હતા અને ત્યાં ફરિયાદીને મારમાર્યો હતો અને ત્યાર બાદ એક બ્લેક કલરની કારમાં ફરીયાદીનું અપહરણ કરીને તેને ભરતનગર પાસે આવેલ વાડીએ લઈ ગયા હતા અને ત્યાં ફરિયાદીને લાકડી તથા ઢીકાપાટુ અને પટ્ટા વડે મારમારીને મુઢ ઈજાઓ કરી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે અપહરણ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનામાં એલસીબીની ટીમે ગણતરીની કલાકોમાં આરોપી નવઘણ ઉર્ફે ખુટિયો વેલજીભાઈ (40) રહે. જેતપર, ભગીરથભાઈ રતિલાલ ઠોરીયા (31) બગથળા અને પિયુષભાઈ હસમુખભાઈ લોરીયા (33) રહે. લુટાવદર વાળાને હસ્તગત કર્યા છે અને યુવાનનું અપહરણ કરવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવેલ ફોર્ચ્યુનર ગાડી નંબર જીજે 3 એફડી 7997 જેની કિંમત 10 લાખ તથા 4 મોબાઈલ ફોન જેની કિંમત 40,000 આમ કુલ મળીને 10.40 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાનું જાણ મળેલ છે અને બાકીના આરોપીને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ ચાલી રહી છે






Latest News