રાજકોટ ખાતે અજા. મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષની હાજરીમાં નવ નિયુક્ત મંત્રીનો અભિવાદન સમારોહ યોજાયો
SHARE
અનુસૂચિત જાતિ મોરચા ભાજપ ગુજરાત દ્વારા રાજકોટ મહાનગર ખાતે મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલસિંહ આર્યજીની અધ્યક્ષતામાં અને સમાજના સંતોના આશીર્વાદ સાથે સૌરાષ્ટ્ર ઝોનનો નવ નિયુક્ત મંત્રીઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો.
રાજકોટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી અને ધારાસભ્ય શંભુનાથ ટુંડીયા, મંત્રી ડો. મનીષ વકીલ, શ્રીમતિ દર્શનાબેન વાઘેલા,સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરિયા, મોરચાના પ્રભારી અને પ્રદેશ મંત્રી ઝવેર ઠાકર, મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગૌતમ ગેડીયા તેમજ મહાનગર પ્રમુખ ડૉ. માધવભાઈ દવે, પૂર્વ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા, ધારાસભ્યઓ,પૂર્વ ધારાસભ્યઓ સંગઠનના સૌ હોદેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બહોળી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી તેમજ મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, મોરબી જિલ્લા પંચાયતની સમિતિ ચેરમેન અશોકભાઈ ચાવડા, મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર, મોરબી તાલુકો પંચાયતની સમિતિ ચેરમેન રાજેશભાઈ પરમાર, મોરબી નગરપાલિકા ગૌતમભાઈ સોલંકી, ભાનુબેન નગવાડીયા મનુભાઈ સારેસા તેમજ વાંકાનેર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાઉન્સિલર રમેશભાઈ વોરા, મોરબી જિલ્લા ભાજપ મંત્રી સંગીતાબેન વોરા, મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ પૂર્વ પ્રમુખ અરજણભાઈ મકવાણા, પૂર્વ મહામંત્રી દિનેશભાઈ પરમાર, લાલજીભાઈ સોલંકી, મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો, મોરબી શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચો તેમજ વાંકાનેરમાંથી પણ મોટી સંખ્યામાં કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા મહામંત્રી બળવંતભાઈ સનારીયા, દેવિકાબેન ભખોડીયા, લીલાબેન બોખાણી, શારદાબેન ઝાલા, ચંપાબેન ટુડીયા, ડીયા નરેન્દ્રભાઈ દલડી, ગોપાલભાઈ સોલંકી, જગદીશભાઈ ચાવડા, જયંતીભાઈ ચૌહાણ, જયંતિભાઈ ઉપસ્થિત રહ્યા હતા.