મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોસાયટીમાં યુવાને જીવન ટુંકાવ્યુ
SHARE
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સતનામ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સતનામ સોસાયટીમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનુ મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સતનામ સોસાયટીમાં રહેતા પ્રભુભાઈ નાથાભાઈ વાંક (40) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર હતો ત્યારે ત્યાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજ્યું હતુ અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના બેલા ગામથી ખોખરા હનુમાન તરફ જવાના રસ્તા ઉપર બાઈક આડે કૂતરૂ આવતા અકસ્માતમાં બનાવ બન્યો હતો જે બનાવમાં સોનુભાઈ (40) અને પ્રકાશભાઈ (35) નામના બે યુવાનોને ઈજા થઇ હોવાથી ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસે જાણ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારામારીમાં ઇજા
મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ રેન બસેરા પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા દક્ષ મહાદેવભાઇ પરમાર (18) નામના યુવાનને ઇજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે