મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ડો.બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ખાતે માનસિક આરોગ્યની શિબિર યોજાઈ


SHARE











મોરબીમાં ડો.બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ખાતે માનસિક આરોગ્યની શિબિર યોજાઈ

મોરબીમાં અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા ડો.બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલય, મોરબીમાં રહીને અભ્યાસ કરતા છાત્રોને યુવા, અને વિદ્યાથી અવસ્થામાં પરીક્ષા કે વ્યકિતગત માનસિક આરોગ્યને લગતા પ્રશ્નો બાબતે તેઓની મુંજવણ દૂર થાય અને યોગ્ય જાણકારી કે માર્ગદર્શન મળી રહે તેમજ છાત્રોનું માનસિક સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ શિબિરમાં મોરબી સિવિલ હોસ્પીટલના મનોચિકિત્સક ડૉ.વિશાલ ભટ્ટએ છાત્રો સાથે હતાશા, તણાવ, ચિંતા, અંજમપો, વિગેરે માનસિક આરોગ્યના મુંજવતા પ્રશ્નો બાબતે પરામર્શ કરી ઉપચારાત્મક માર્ગદર્શન આપ્યું હતું. શિબિર દરમિયાન મોરબી અનુસૂચિત જાતિ કલ્યાણ નાયબ નિયામક એ.એમ.છાસીયાએ છાત્રોને કોઈપણ પરિસ્થિતિમાં હકારાત્મક અભિગમ રાખવા પ્રોત્સાહિત કર્યા હતાં. આ કાર્યક્રમનું આયોજન મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી (હો) ડી.એસ.પીપળીયા દ્વારા કરવામાં આવ્યું હતું તેવું મોરબી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીની યાદીમાં જણાવાયું છે.






Latest News