મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

મોરબીમાં ડો.બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ખાતે માનસિક આરોગ્યની શિબિર યોજાઈ


SHARE













મોરબીમાં ડો.બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ખાતે માનસિક આરોગ્યની શિબિર યોજાઈ

મોરબીમાં અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા ડો.બી.આર.આંબેડકર સરકારી કુમાર છાત્રાલય, મોરબીમાં રહીને અભ્યાસ કરતા છાત્રોને યુવા, અને વિદ્યાથી અવસ્થામાં પરીક્ષા કે વ્યકિતગત માનસિક આરોગ્યને લગતા પ્રશ્નો બાબતે તેઓની મુંજવણ દૂર થાય અને યોગ્ય જાણકારી કે માર્ગદર્શન મળી રહે તેમજ છાત્રોનું માનસિક સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ શિબિરમાં મોરબી સિવિલ હોસ્પીટલના મનોચિકિત્સક ડૉ.વિશાલ ભટ્ટએ છાત્રો સાથે હતાશા, તણાવ, ચિંતા, અંજમપો, વિગેરે માનસિક આરોગ્યના મુંજવતા પ્રશ્નો બાબતે પરામર્શ કરી ઉપચારાત્મક માર્ગદર્શન આપ્યું હતું. શિબિર દરમિયાન મોરબી અનુસૂચિત જાતિ કલ્યાણ નાયબ નિયામક એ.એમ.છાસીયાએ છાત્રોને કોઈપણ પરિસ્થિતિમાં હકારાત્મક અભિગમ રાખવા પ્રોત્સાહિત કર્યા હતાં. આ કાર્યક્રમનું આયોજન મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી (હો) ડી.એસ.પીપળીયા દ્વારા કરવામાં આવ્યું હતું તેવું મોરબી અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીની યાદીમાં જણાવાયું છે.






Latest News