ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

ટંકારાના ભૂતકોટડા ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને પરિણીતાએ કર્યો આપઘાત


SHARE











ટંકારાના ભૂતકોટડા ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને પરિણીતાએ કર્યો આપઘાત

ટંકારાના ભૂતકોટડા ગામની સીમમાં આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્નીએ કોઈ કારણોસર પોતે પોતાના જાતે પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામની સીમમાં આવેલ સમર્પણ પોલીપેક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા વિનુભાઈ લાલુભાઈ વહોનીયાના પત્ની હેતલબેન વહોનીયા (23)એ કોઈપણ કારણસર પોતે પોતાની જાતે લેબર ક્વાર્ટરમાં પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે પરણીતાનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની જયેશભાઈ ઉર્ફે મુન્નાભાઈ જયંતીભાઈ નિમાવત (45) રહે. લજાઈ વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આપઘાતના આ બનાવની આગળની વધુ તપાસ પીએસઆઈ એસ.એન.સગારકા ચલાવી રહ્યા છે.

યુવાન સારવારમાં

ધાંગધ્રાના કંકાવટી ગામે રહેતા ભગવાનજીભાઈ ધનજીભાઈ ડાભી (32) નામનો યુવાન કોઈ કારણોસર પોતે પોતાના ઘરે દવા પી ગયો હતો જેથી પ્રાથમિક સારવાર ધાંગધ્રામાં આપવામાં આવ્યા બાદ તેને વધુ સારવાર માટે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

વૃદ્ધ સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા ઉદયવીરસિંહ મોહરસિંહ (61) નામના વૃદ્ધ રવાપર રોડ પર આવેલ ભવાની સોડા પાસેથી બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી પડી જવાને કારણે તેને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરાઇ છે.






Latest News