જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: ટંકારાના મિતાણા પાસે આશ્રમમાં થયેલ લુંટના બનાવમાં ગયેલ મુદામાલ ફરિયાદીને પરત કર્યો


SHARE











તેરા તુજકો અર્પણ: ટંકારાના મિતાણા પાસે આશ્રમમાં થયેલ લુંટના બનાવમાં ગયેલ મુદામાલ ફરિયાદીને પરત કર્યો

ટંકારાના મિતાણા નજીક ખોડીયાર આશ્રમમાં લુંટનો બનાવ બનેલ હતો. જેમાં દાગીના અને રોકડ લુટારુ લઈ ગયેલ હતા જેની ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને ટંકારા પોલીસે લૂંટમાં ગયેલ મુદામાલ પૈકીના સોના અને ચાંદીની વસ્તુ તેમજ રોકડા રૂપીયા કબ્જે કરેલ હતા જેને આશ્રમના મહંતને તેરા તુજકો અર્પણ અંતર્ગત ડીવાયએસપીની હાજરીમાં પરત આપવામાં આવેલ છે.

વાંકાનેર વિભાગના ડીવાયએસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારાના પીઆઇ કે.એમ.છાસીયા અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં ગત તા. 30/7/25 ના રોજ મિતાણા ગામ ખોડીયાર મંદીર આશ્રમમાં લૂંટનો બનાવ બનેલ હતો જેની મહંત રામચરણદાસ માતાજી નારણદાસજીઅજાણ્યા ચાર લુંટારૂ સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, ખોડીયાર મંદીર આશ્રમમાં તાડા તોડીને અજાણ્યા ચાર લુંટારૂ આવ્યા હતા અને ફરીયાદીને છરી બતાવી ડરાવી ધમકાવીને સોંનાની કડી (મુંદરી), હાથમાં પહેરેલ ગેંડાનું કડુ તથા રોકડા રૂપીયા મોબાઇલ ફોન મળી કુલ 87 હજારની મતાની લુંટ કરી હતી. અને આરોપી નાશી ગયા હતા અને આ ગુનામાં આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને આરોપીઓ પાસેથી રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો જેમાં 20 હાજર રોકડા, સોનાની કડી (મુંદરી) 1 જોડ જેની કિંમત 35 હજાર તથા હાથમાં પેરવાનુ ગેડા ચાંદીનુ પળ ચડાવેલ કડુ જેની કિંમત 200 આમ કુલ મળીને 55,200 નો મુદામાલ ફરીયાદીને ટંકારા પોલીસ સ્ટેશને બોલાવીને તેરા તુજકો અર્પણ અંતર્ગત ડીવાયએસપી એસ.એચ.સારડાના હસ્તે તમામ મુદામાલ પરત આપવામાં આવ્યો હતો ત્યારે ટંકારાના પીઆઇ કે.એમ.છાસીયા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.






Latest News