મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: ટંકારાના મિતાણા પાસે આશ્રમમાં થયેલ લુંટના બનાવમાં ગયેલ મુદામાલ ફરિયાદીને પરત કર્યો


SHARE











તેરા તુજકો અર્પણ: ટંકારાના મિતાણા પાસે આશ્રમમાં થયેલ લુંટના બનાવમાં ગયેલ મુદામાલ ફરિયાદીને પરત કર્યો

ટંકારાના મિતાણા નજીક ખોડીયાર આશ્રમમાં લુંટનો બનાવ બનેલ હતો. જેમાં દાગીના અને રોકડ લુટારુ લઈ ગયેલ હતા જેની ફરિયાદ નોંધાયેલ હતી જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને ટંકારા પોલીસે લૂંટમાં ગયેલ મુદામાલ પૈકીના સોના અને ચાંદીની વસ્તુ તેમજ રોકડા રૂપીયા કબ્જે કરેલ હતા જેને આશ્રમના મહંતને તેરા તુજકો અર્પણ અંતર્ગત ડીવાયએસપીની હાજરીમાં પરત આપવામાં આવેલ છે.

વાંકાનેર વિભાગના ડીવાયએસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારાના પીઆઇ કે.એમ.છાસીયા અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં ગત તા. 30/7/25 ના રોજ મિતાણા ગામ ખોડીયાર મંદીર આશ્રમમાં લૂંટનો બનાવ બનેલ હતો જેની મહંત રામચરણદાસ માતાજી નારણદાસજીઅજાણ્યા ચાર લુંટારૂ સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, ખોડીયાર મંદીર આશ્રમમાં તાડા તોડીને અજાણ્યા ચાર લુંટારૂ આવ્યા હતા અને ફરીયાદીને છરી બતાવી ડરાવી ધમકાવીને સોંનાની કડી (મુંદરી), હાથમાં પહેરેલ ગેંડાનું કડુ તથા રોકડા રૂપીયા મોબાઇલ ફોન મળી કુલ 87 હજારની મતાની લુંટ કરી હતી. અને આરોપી નાશી ગયા હતા અને આ ગુનામાં આરોપીઓને પકડવામાં આવ્યા હતા અને આરોપીઓ પાસેથી રોકડ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો જેમાં 20 હાજર રોકડા, સોનાની કડી (મુંદરી) 1 જોડ જેની કિંમત 35 હજાર તથા હાથમાં પેરવાનુ ગેડા ચાંદીનુ પળ ચડાવેલ કડુ જેની કિંમત 200 આમ કુલ મળીને 55,200 નો મુદામાલ ફરીયાદીને ટંકારા પોલીસ સ્ટેશને બોલાવીને તેરા તુજકો અર્પણ અંતર્ગત ડીવાયએસપી એસ.એચ.સારડાના હસ્તે તમામ મુદામાલ પરત આપવામાં આવ્યો હતો ત્યારે ટંકારાના પીઆઇ કે.એમ.છાસીયા સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.






Latest News