સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં લાગેલ આગ 8 કલાકે કાબુમાં આવી: ઉદ્યોગકારને મોટું નુકશાન


SHARE











મોરબી નજીક કારખાનામાં લાગેલ આગ 8 કલાકે કાબુમાં આવી: ઉદ્યોગકારને મોટું નુકશાન

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પેપર મિલના ગ્રાઉન્ડમાં વેસ્ટ પેપરનો જથ્થો પડ્યો હતો તેમાં કોઈ કારણસર આગ લાગવાનો બનાવ બન્યો હતો અને જે બનાવની તાત્કાલિક મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કારખાનામાં લાગેલ આગને કાબુમાં લેવા માટે પાણીનો મારો ચાલુ કર્યો હતો. અને અંદાજે 8 કલાકે આગ કાબુમાં આવી ગયેલ છે.

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાર્થ પેપર મિલ નામના કારખાનાની અંદર ગ્રાઉન્ડમાં પડેલ વેસ્ટ પેપરમાં જથ્થામાં મંગળવારે બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો અને આગમા વેસ્ટ પેપરનો મોટો જથ્થો જપેટમાં આવી ગયો હતો જેથી આ બનાવની મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ફાયર ફાઈટર સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કારખાનાના ગ્રાઉન્ડમાં પડેલા વેસ્ટ પેપરના જથ્થામાં લાગેલી આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા અને અંદાજે 8 કલાક સુધી સતત પાણીનો મારો કરીને વેસ્ટ પેપરમાં લાગેલ આગને કાબુમાં લેવામાં આવેલ છે અને આ આગ લાગવાના લીધે કારખાનેદારને મોટું નુકશાન થયું છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીની આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો આવેલા છે તેમ છતાં પણ અહીં ફાયરની અધ્યતન સુવિધા ન હોવાથી ટાંચા સાધનોથી આગ અકસ્માતનો બનાવ બને ત્યારે બચાવ રાહતની કામગીરી કરવામાં આવે છે અને કોઈપના સ્થળે આગ લાગે ત્યારે આગ કાબુમાં આવે ત્યાં સુધી ઉદ્યોગકારોને લાખો કરોડોનું નુકશાન સહન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી તે હક્કિત છે.






Latest News