મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં ૨૦ નવેમ્બરે એકતા પદયાત્રા યોજાશે


SHARE











મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં ૨૦ નવેમ્બરે એકતા પદયાત્રા યોજાશે

મોરબી વિધાનસભા મતવિસ્તારમાં ૨૦ નવેમ્બરે એકતા પદયાત્રા યોજાશે. અને ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર પટેલનું સ્ટેચ્યુથી એકતા પદયાત્રા શરૂ કરવામાં આવશે અને મોરબીમ આવેલ મણીમંદિર ખાતે તેને પૂર્ણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વધુને વધુ લોકોને જોડાવવા માટે કલેકટર સ્વપ્નિલ ખરેઅનુરોધ કર્યો છે.

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીની સમગ્ર ગુજરાત રાજ્યની સાથે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં યોજાઈ રહેલા કાર્યક્રમ અન્વયે મોરબી વિધાનસભા મત વિસ્તારમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહેવાના છે. અને આગામી ૨૦ નવેમ્બરના રોજ સવારે ૯:૦૦ કલાકથી મોરબીમાં સરદાર પટેલના સ્ટેચ્યુ, નવા બસ સ્ટેન્ડથી મણીમંદિર સુધી  એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રામાં વધુને વધુ જોડાવવા જિલ્લાવાસીઓને જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News