મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના વજેપર 602 જમીન કૌભાંડમાં પકડાયેલ આરોપીમાંથી 3 આરોપીના શરતી જામીન મંજૂર: એક આરોપીએ હાઇકોર્ટમાંથી અરજી વિડ્રો કરી


SHARE











મોરબીના વજેપર 602 જમીન કૌભાંડમાં પકડાયેલ આરોપીમાંથી 3 આરોપીના શરતી જામીન મંજૂર: એક આરોપીએ હાઇકોર્ટમાંથી અરજી વિડ્રો કરી

મોરબી સહિત ગુજરાતમાં ચકચારી બની ગયેલ વજેપર 602 જમીન કૌભાંડમાં પકડાયેલ આરોપીઓમાંથી ચાર આરોપીઓએ હાઇકોર્ટમાંથી જામીન મેળવવા માટે અરજી કરી હતી.જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ અને રજૂ કરેલા જુદીજુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને હાઈકોર્ટે એક મહિલા સહિત ત્રણ આરોપીના જામીન મંજૂર કર્યા છે જો કે, એક આરોપીએ હાઇકોર્ટમા કરેલ અરજીને વિડ્રો કરેલ છે.

મોરબીમાં રહેતા ભીમજીભાઇ નકુમએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વજેપર 602 જમીન કૌભાંડની ફરિયાદ કરી હતી.જેમાં તેના પિતાના નામની જમીનને બોગસ વારસાઈ આંબાના આધારે અજાણી મહિલાને વારસદાર બનાવવામાં આવી હતી અને કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા માટેનું કૌભાંડ કરવામાં આવ્યું હતું જે ગુનામાં પોલીસે બે મહિલા સહિત કુલ 6 આરોપીઓને પકડીને જેલ હવાલે કર્યા હતા જે પૈકી શાંતાબેન પરમારના પહેલા હાઇકોર્ટમાંથી જમીન મંજૂર થયા હતા

ત્યાર બાદ આ ગુનામાં પકડાયેલ હેતલબેન ભોરણિયા, ભરત દેગામા, સાગર સાવધાર અને અતુલ જોશીએ હાઈકોર્ટમાંથી જામીન મેળવવા માટે તેઓના વકીલ મારફતે અરજી કરી હતી.જેમાં આરોપીઓના વકીલે કરેલી દલીલ અને જુદી-જુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખીને કોર્ટે આરોપી હેતલબેન ભોરણિયા, ભરત દેગામા અને સાગર સાવધારના શરતોને આધીન જામીન મંજૂર કર્યા છે જો કે, આ ગુનામાં પકડાયેલ અતુલ જોશીએ જામીન માટે હાઇકોર્ટમા કરેલ અરજીને વિડ્રો કરેલ છે.તેવી માહિતી વકીલ પાસેથી જાણવા મળેલ છે.

આ કેસમાં  આરોપી હેતલબેન ભોરણીયાના વકીલ તરીકે મોરબીના સિનિયર વકીલ દિલીપભાઈ અગેચણીયા, હરિસિંહ સોઢા, જીતેન ડી.અગેચણીયા, કુલદીપ જિંજવાડીયા, રવી ચાવડા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.જયારે આરોપી ભરત પોલજીભાઈ દેગામાના વકીલ તરીકે હરીસીંહ વી.સોઢા, જે.ડી.સોલંકી, કલ્પેશ ડી.સંખેસરીયા, જયેશ પટેલ. મયુર ડી.ઉભડીયા, પી.ડી.પરમાર, એન.પી.ચાવડા, જે.એસ.વાઢેર, એચ.એલ.ચાવડા, દીપક મકવાણા, વિરેન્દ્રસિંહ રાઠોડ, વી.બી.છનીયારા, એ.એસ.અમૃતીયા, હીના સાગઢીયા રોકાયેલ હતા.






Latest News