ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

ડુપ્લિકેટ મતદારોને રોકવા મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરો: મોરબીમાં રહેતા કે.ડી. બાવરવાની માંગ


SHARE











ડુપ્લિકેટ મતદારોને રોકવા મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરો: મોરબીમાં રહેતા કે.ડી. બાવરવાની માંગ

દેશમાં અંદર બનાવવામાં આવેલ મતદાર યાદીમાં ડુપ્લિકેટ મતદારોના નામ છે તેવો આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે ડુપ્લિકેટ મતદારોને રોકવા માટે યોગ્ય વ્યવસ્થા કરવા તથા મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથેની મોરબીમાં રહેતા ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ અસો.ના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ માંગ કરી છે અને તેઓએ લેખિતમાં રાજ્ય ચુંટણી પંચના મુખ્ય ચુંટણી કમીશનરને રજૂઆત પણ કરેલ છે.

હાલમાં તેઓ કરેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, ગુજરાત રાજ્યમાં ચુંટણી પંચ દ્વારા S.I.R. ની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. આ કાર્યવાહીમાં મતદારોનું વેરીફીકેશન થશે જે સારી વાત  છે પરંતુ આ કાર્યવાહીમાં  કોઈ મતદારનું નામ બે જગ્યાએ હોય તો તે બને જગ્યાએ વેરીફીકેશન કરાવે તો તેને રોકવા માટે કોઈ યોગ્ય સોફ્ટવેર કે પધ્ધતી દ્વારા આ કામગીરી કરવામાં આવે તેના માટેની રજૂઆત કરેલ છે. આ ઉપરંત મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવામાં આવે તો બે જગ્યાએ નામ હોય તો આસાનીથી જાણી શકાશે તો મતદાર કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની માંગણી કરી છે. આ ઉપરાંત  કોઈ એક રાજ્યની ચુંટણીમાં મતદારનું નામ હોય અને તેને મતદાન કરેલ હોય અને તેવા મતદારો ચુંટણી પછી તુરંત અન્ય રાજ્યમાં પોતાનું નામ દાખલ કરાવી ત્યાની ચુંટણીમાં પણ મતદાન કરે તો એક મતદાર બે રાજ્યની સરકાર નક્કી કરવામાં પોતાનું મતદાન કરે તેવું ન થાય તે માટે પણ યોગ્ય નિયમો કરી તટસ્થ અને સાચી ચુંટણી થાય તેવું કરવાની માંગ કરી છે. અને અંતમાં S.I.R. ની કામગીરીમાં કોઈ ગેરરીતી  ન થાય તે માટે સતત મોનીટરીંગ રાખીને તટસ્થ કામગીરી થાય તેવી પણ રજૂઆત કરેલ છે.                                           






Latest News