મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબી નજીક બનાવેલ ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ, સમાજનું સ્નેહમિલન અને રાજ્ય મંત્રીનો સન્માન સમારોહ યોજાયો


SHARE











મોરબી નજીક બનાવેલ ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ, સમાજનું સ્નેહમિલન અને રાજ્ય મંત્રીનો સન્માન સમારોહ યોજાયો

મોરબીના રાજકોટ હાઇવે પર કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત ઉમા સંસ્કાર ધામનું નિર્માણ થયેલું છે જેનો મોરબી પ્રથમ પાટોત્સવ, સમાજનું સ્નેહમિલન અને રાજ્ય મંત્રીના સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આગેવાનો, ઉદ્યોગકારો તેમજ મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા.

ટંકારાના લજાઈ ગામ પાસે આવેલ ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ યોજાયો હતો જેમાં આગેવાનોએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, ઉમા સંસ્કાર ધામ ખાતે ઉમા આદર્શ લગ્ન વ્યવસ્થાનો લાભ લઈને 389 જેટલા લગ્ન કરવવામાં આવ્યા છે અને તેમાંથી પ્રેરણા લઈને અન્ય સમાજે પણ આવી વ્યવસ્થા શરૂ કરેલ છે. આ ઉપરાંત સંસ્થા દ્વારા સમાજ ઉપયોગી જે કામ કરવામાં આવે છે તેની માહિતી લોકોની સમક્ષ મૂકવામાં આવી હતી. ત્યાર બાદ તાજેતરમાં મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને શ્રમ, કૌશલ, રોજગાર વિભાગના રાજયકક્ષાના મંત્રી તરીકે નિયુક્તિ થતા સમસ્ત પાટીદાર સમાજ વતી એમનું અદકેરું સન્માન કરાયું હતું, અને મંત્રી તેમજ આગેવાનોના હસ્તે ઉમા સંસ્કાર ધામ દ્વારા કરવામાં આવતી વિવિધ સેવાકીય માહિતીને લોકો સુધી પહોચડવા માટે "ઉમા સંસ્કાર દર્શન" ત્રિમાસિક અંકનું વિમોચન કરવામાં આવ્યુ હતું,

આ કાર્યક્રમમાં બેચરભાઈ હોથીએ લોકોનું શાબ્દિક સ્વાગત કરીને નુતનવર્ષની શુભેચ્છા પાઠવી હતી, ત્યારબાદ ત્રમ્બકભાઈ ફેફરે સંસ્થાની જાણકારી આપી હતી, તો દિનેશભાઈ વડસોલાએ સેવાકીય પ્રકલ્પોની માહિતી લોકોને આપી હતી. આ કાર્યક્રમમાં જેરામભાઈ વાંસજાળિયા, જયસુખભાઈ પટેલ, પ્રકાશભાઈ વરમોરા (ધારાસભ્ય)ઉમા સંસ્કાર ધામની સેવાને બિરદાવી હતી, ત્યાર બાદ દાતાઓનું મહાનુભાવોના હસ્તે અદકેરું સન્માન કરાયું હતું, આ કાર્યક્ર્મમાં સમગ્ર મોરબી જિલ્લામાંથી કડવા પાટીદાર પરિવારના શ્રેષ્ઠીઓ, દાતાઓ, જુદીજુદી સંસ્થાના અગ્રણીઓ, સિરામિક એસો. આગેવાનો, ઉદ્યોગકારો સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રમ્બકભાઈ ફેફર, ચેરમેન એ.કે.પટેલ તેમજ અરુણભાઈ વિડજા વગેરેએ જહેમત ઉઠાવી હતી, અને કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલા અને એમ.વી.દલસાણીયાએ કર્યું હતું.






Latest News