મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી સિનિયર સીટીઝન ફાઉન્ડેશન દ્વારા સ્નેહમિલન સહિત ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબી સિનિયર સીટીઝન ફાઉન્ડેશન દ્વારા સ્નેહમિલન સહિત ચતુર્વિધ કાર્યક્રમ યોજાયો

મોરબીમાં સિનિયર સીટીઝન ફાઉન્ડેશનના પ્રમુખ ર્ડો. બી.કે.લહેરૂના અધ્યક્ષસ્થાને નવા વર્ષની શુભેચ્છાઓ, ભાવિ યોજનાઓ અને આર.ટી.ઓ. અને ટ્રાફિક નિયમન વિષયક વ્યાખ્યાન એમ ચતુર્વિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અને નવા સભ્યોને આવકાર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સિનિયર સીટીઝન ફોઉન્ડેશનના સભ્યો, સામાજિક સંસ્થાના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કા ર્યક્રમમાં પ્રમુખ લહેરૂ દ્વારા સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને હોદેદારો દ્વારા શાલથી સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબીમાં આર.ટી.ઓ. અને ટ્રાફિક કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા પીઆઇ આર.એ.જાડેજા દ્વારા ટ્રાફિકના નિયમો, લાયસન્સ સંબંધિત માર્ગદર્શિકા તેમજ દ્વિ-ચક્રી અને ચતુરચક્રી વાહનચાલકો માટે જરૂરી સૂચનો ખૂબ જ સમજણપૂર્વક આપવામાં આવેલ હતા. ડો.લખમણભાઈ કંઝારિયાએ સિનિયર સિટીઝન શું કરી શકે?” વિષય પર પોતાની અનુભૂતિઓ વહેંચી હતી. તેમણે કુટુંબભાવના, સમાજભાવના, સંતોષ અને સંવેદનાની અતિમૂલ્ય વાતો કરી સૌને પ્રેરણા આપી. એડવોકેટ જગદિશભાઇ ઓઝાએ પણ આરટીઓ સંબંધિત માહિતીમાં ઉમેરો કરી, સભ્યોના પ્રશ્નોના સચોટ જવાબ આપ્યા હતા. અને નવા વર્ષના શુભેચ્છા સંદેશા સાથે ભુપતભાઈ પંડ્યાએ સૌને આનંદમય જીવનની શુભકામનાઓ પાઠવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ ચેરમેન ર્ડો.ભાવેશ જેતપરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વકીલ જગદીશભાઇ ઓઝા, આડેસરાભાઈ, પૂર્વ ચીફ ઓફિસર ઠાકરભાઈ, ઉર્મિલાબેન લ્હેરુ વિગેરે હાજર રહ્યા હતા અને એકમેકને નવા વર્ષની સહુકોઈએ શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેશભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઇ મહેતા, પી.એન.રાંકજા, કે.પી. ભાગિયા, ડૉ. એમ.ડી. જાડેજા, એન.એમ. ચડાસણિયા અને સિનિયર સીટીઝન ફાઉન્ડેશનના કારોબારી સદસ્યોએ જહેમત લીધી હતી.






Latest News