ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં ખેડૂતોને ખેતીમાં થયેલ નુકશાન સામે તાત્કાલિક સહાય આપો: કોંગ્રેસની આગેવાનીમાં માંગ


SHARE











મોરબી તાલુકાનાં ખેડૂતોને ખેતીમાં થયેલ નુકશાન સામે તાત્કાલિક સહાય આપો: કોંગ્રેસની આગેવાનીમાં માંગ

ચાલુ વર્ષે કારતક માહિનામાં પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે ખેતીના પાકમાં નુકસાની થયેલ છે તેનો સર્વે કરવાના બદલે વિશેષ પેકેજ જાહેર કરીને ખેડૂતોને સહાય આપવાની કોંગ્રેની આગેવાની હેઠળ માંગ કરવામાં આવેલ છે. અને મોરબીના મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

હાલમાં મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ વિજયભાઈ કોટડીયા, શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, લલિતભાઈ કાસુન્દ્રા , રજનીશભાઈ સીરવી, હિતેષભાઇ ભટ્ટ, ચિરાગભાઈ રાચ્છ, વસીમભાઈ મન્સૂરી સહિતના કોંગ્રેસનાં આગેવાનો અને ખેડૂતો દ્વારા જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાંથી મોરબી જિલ્લો બાકાત નથી અને મોરબી તાલુકામાં ખેડૂતોના કપાસ, મગફળી સહિતના ખરીફ પાકને નુકસાન થયું છે. ત્યારે સર્વે નહીં પરંતુ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરીને તેઓને સહાય આપવામાં આવે તે જરૂરી છે.

ગયા વર્ષે 2024 માં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો માર ખેડૂતોએ સહન કર્યો હતો તેવી રેટે ચાલુ વર્ષે ઓક્ટોમ્બર અને નવેમ્બર માહિનામાં કમોસમી વરસાદ પડ્યો છે જેથી ખેડૂતોની કમર તૂટી ગયેલ છે ત્યારે ખેડૂતોલીધેલ પાક ધીરાણ કેમ ભરશે તે સહિતના પ્રશ્નો ઊભા થયા છે જેથી કરીને ખેડૂતો બેઠા થઈ શકે અને આવનાર શિયાળુ સિઝન માટે વાવેતર કરી શકે તેના માટે તાત્કાલિક સહાય આપવાની માંગ કરેલ છે. સાથોસાથ ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરીને અગાઉની જેમ પાક વીમા યોજના અમલમાં મૂકવામાં આવે તેવી માંગ કરી છે. તથા ખેડૂતોની મગફળીમાં વરસાદના કારણે ભેજનું પ્રમાણ વધારે હશે તેને ધ્યાને રાખીને ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં ફેરફાર કરવાની માંગ કરેલ છે. 






Latest News