મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં ખેડૂતોને ખેતીમાં થયેલ નુકશાન સામે તાત્કાલિક સહાય આપો: કોંગ્રેસની આગેવાનીમાં માંગ


SHARE











મોરબી તાલુકાનાં ખેડૂતોને ખેતીમાં થયેલ નુકશાન સામે તાત્કાલિક સહાય આપો: કોંગ્રેસની આગેવાનીમાં માંગ

ચાલુ વર્ષે કારતક માહિનામાં પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે ખેતીના પાકમાં નુકસાની થયેલ છે તેનો સર્વે કરવાના બદલે વિશેષ પેકેજ જાહેર કરીને ખેડૂતોને સહાય આપવાની કોંગ્રેની આગેવાની હેઠળ માંગ કરવામાં આવેલ છે. અને મોરબીના મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

હાલમાં મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ વિજયભાઈ કોટડીયા, શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, લલિતભાઈ કાસુન્દ્રા , રજનીશભાઈ સીરવી, હિતેષભાઇ ભટ્ટ, ચિરાગભાઈ રાચ્છ, વસીમભાઈ મન્સૂરી સહિતના કોંગ્રેસનાં આગેવાનો અને ખેડૂતો દ્વારા જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે તેમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાંથી મોરબી જિલ્લો બાકાત નથી અને મોરબી તાલુકામાં ખેડૂતોના કપાસ, મગફળી સહિતના ખરીફ પાકને નુકસાન થયું છે. ત્યારે સર્વે નહીં પરંતુ ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરીને તેઓને સહાય આપવામાં આવે તે જરૂરી છે.

ગયા વર્ષે 2024 માં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો માર ખેડૂતોએ સહન કર્યો હતો તેવી રેટે ચાલુ વર્ષે ઓક્ટોમ્બર અને નવેમ્બર માહિનામાં કમોસમી વરસાદ પડ્યો છે જેથી ખેડૂતોની કમર તૂટી ગયેલ છે ત્યારે ખેડૂતોલીધેલ પાક ધીરાણ કેમ ભરશે તે સહિતના પ્રશ્નો ઊભા થયા છે જેથી કરીને ખેડૂતો બેઠા થઈ શકે અને આવનાર શિયાળુ સિઝન માટે વાવેતર કરી શકે તેના માટે તાત્કાલિક સહાય આપવાની માંગ કરેલ છે. સાથોસાથ ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરીને અગાઉની જેમ પાક વીમા યોજના અમલમાં મૂકવામાં આવે તેવી માંગ કરી છે. તથા ખેડૂતોની મગફળીમાં વરસાદના કારણે ભેજનું પ્રમાણ વધારે હશે તેને ધ્યાને રાખીને ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં ફેરફાર કરવાની માંગ કરેલ છે. 






Latest News