વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીના ઇન્દિરાનગર અને માળિયા વનાળીયા સોસાયટીમાં સામસામે મારામારીમાં આઠ લોકોને ઇજા


SHARE











મોરબીના ઇન્દિરાનગર અને માળિયા વનાળીયા સોસાયટીમાં સામસામે મારામારીમાં આઠ લોકોને ઇજા

 

મોરબીના સામાકાંઠે આવેલા બે જુદાજુદા વિસ્તારોમાં સામસામે મારામારીના બનાવો બન્યા હતા.જેમાં ઇન્દિરાનગર અને માળિયા વનાળીયા સોસાયટીમાં થયેલ મારામારીના બનાવમાં આઠ લોકોને ઈજા થઈ હોય સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે ઇન્દિરાનગર વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં રવિ દિનેશભાઈ સુરેલા (૨૫), સાવન દિનેશભાઈ સુરેલા (૨૩) અને વિક્રમ ભરતભાઈ સુરેલા (૧૮) ને ધોકા-પાઇપ વડે માર મારવામાં આવતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને તે બનાવમાં સામેના પક્ષેથી રમેશભાઇ ટપુભાઈ ધોળકિયા (૫૦) અને કમાભાઈ રમેશભાઈ ધોળકિયા (૨૦) રહે. બધા ઇન્દિરાનગરને ઇજા થયેલ હોય તેમને પણ સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મારામારીનો બીજો બનાવ સોઓરડી પાછળના માળિયા વનાળીયા સોસાયટી વિસ્તારમાં બન્યો હતો.જ્યાં મારામારીના બનાવમાં લક્ષ્મણભાઈ પ્રેમજીભાઈ બારોટ (૬૦) અને મધુબેન લક્ષ્મણભાઈ બારોટ (૪૩) તથા સામેના પક્ષેથી અમરશીભાઈ છગનભાઈ બારોટ (૫૦) રહે. બધા માળિયા વનાળીયા સોસાયટીને ઇજા થયેલ હતી.જેથી તેઓને પણ સિવિલ હોસ્પિટલે સારવારમાં લઈ જવામાં આવ્યા હોય ઉપરોક્ત બંને બનાવો સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં બે લોકોને ઈજા

મોરબીના હળવદ હાઇવે ઉપર નીચી માંડલ ગામ પાસે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ગુલ્ફીની લારીઓ ભરેલી રીક્ષાની બ્રેક ફેલ થવાથી આગળ જતાં મિલર વાહનની સાથે અથડાઈ હતી.જે બનાવમાં ઈકબાલ નૂરમામદભાઈ ગાલબ (૩૪) રહે.વાવડી મોરબી તથા અલ્લારખાભાઈ કરીમભાઈ રાઉમા (૫૪) રહે.રણછોડનગર સેન્ટ મેરી સ્કૂલ પાસે નવલખી રોડ મોરબીને ઇજા થયેલ હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબી વીસીપરામાં આવેલ કુલીનગર શેરી નંબર-૨ માં રહેતા અલ્તાફ હુસેનભાઇ જીંગીયા નામના ૨૪ વર્ષના યુવાને કોઈ કારણોસર રાત્રિના તેના ઘરે જાતે બ્લેડ વડે હાથ ઉપર છરકા કર્યા હતા.જેથી કરીને તેને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને હળવદના રણછોડગઢ ગામે રહેતા પ્રકાશ હેમુભાઈ સિહોરા નામનો ૩૪ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે કરિયાણા અને રણછોડગઢ વચ્ચે બાઈક સાથે ઢોર અથડાવાથી પડી ગયો હોય તેને અત્રે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મહિલા સારવારમાં

મોરબી સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાછળ આવેલા વૃષભનગર સોસાયટી વિસ્તારમાં રહેતા સુરેજાબેન ગોપાલભાઈ સહેજા નામના ૩૫ વર્ષના મહિલા તેઓના ઘરે સીડી ઉપરથી પડી ગયા હોય નાકના ભાગે લોહી નીકળેલ હોય તેમજ બરોબર બોલી શકતા ન હોય સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે રોડ અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં હનીફભાઈ અલારખાભાઈ (૪૪) રહે.ચરાડવા તા.હળવદને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા






Latest News