વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા દ્બારા પંચાસર અને શનાળા-ખાનપર રોડ ઉપરથી દબાણો દૂર કરાશે


SHARE











મોરબી મહાપાલિકા દ્બારા પંચાસર અને શનાળા-ખાનપર રોડ ઉપરથી દબાણો દૂર કરાશે

મોરબી મહાપાલિકા દ્વારા ચોમાસા પહેલા જુદાજુદા વિસ્તારોમાં દબાણો દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને હવે ચોમાસાએ વિદાય લીધેલ છે ત્યારે ફરી પછી દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરવા માટેની તૈયારીઓ મહાપાલિકા દ્વારા કરી લેવામાં આવેલ છે અને અગાઉ માર્ગ અને મકાન વિભાગમાં આવતા હતા તે 10 માર્ગોને મહાપાલિકામાં સમાવિષ્ટ કરાયેલ છે જેથી તે પૈકી 6 માર્ગોને લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટતરીકે જાહેર કરાયેલ છે અને તે પૈકીનાં પંચાસર રોડ અને શનાળા-ખાનપર રોડ પરના દબાણો હટાવવાની કામગીરી માટેની તૈયારીઓ મહાપાલિકાની ટી.પી. શાખા દ્વારા શરૂ કરવામાં આવશે.

મોરબીના પંચાસર રોડની હાલની પહોળાઈમાં વધારો કરીને 18 મીટર કરવામાં આવશે. અને આ રોડ ઉપર જે કોઈપણ દબાણ હશે તેને તોડી પાડવામાં આવશે. આવી જ રીતે શનાળા-ખાનપર રોડની હાલની પહોળાઈમાં વધારો કરીને 24 મીટર કરવામાં આવશે. આ બંને રસ્તાની પહોળાઈ વધારવાથી લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે. અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટેની ટી.પી. શાખા દ્વારા દબાણો હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં ગત અઠવાડિયામાં ટી.પી. શાખાએ ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અનઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ (GRUDA)’ હેઠળ કુલ 6 કેસની પ્રક્રિયા હાથ ધરી છે. આ સાથે, અત્યાર સુધીમાં કુલ 22 ગૃડાના કેસ રેગ્યુલરાઇઝ્ડ થઈ ચૂક્યા છે. તેમજ વિકાસ પરવાનગીની વાત કરીએ તો ટીપી શાખા દ્વારા વધુ 4 ફાઈલો મંજૂર કરવામાં આવી છે. અને આવનારા સમયમાં બાકી રહેલા કેસનો ઝડપથી નિકાલ કરવામાં આવશે. તેવું અધિકારી જણાવ્યુ છે. 






Latest News