મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી માર્કેટયાર્ડમાં વરસાદી માહોલ વચ્ચે પણ ખેડૂતોની જણસની હરાજી ચાલુ: કપાસનો 1500 થી વધુ ભાવ આવતા ખેડૂતો રાજી


SHARE













મોરબી માર્કેટયાર્ડમાં વરસાદી માહોલ વચ્ચે પણ ખેડૂતોની જણસની હરાજી ચાલુ: કપાસનો 1500 થી વધુ ભાવ આવતા ખેડૂતો રાજી

રાજ્યભરમાં વરસાદી માહોલ છે ત્યારે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ ખાતે ખેડૂતો પોતાના કપાસ સહિતની જાણસ લઈને હરાજીમાં વેચવા માટે આવ્યા હતા અને આજે કપાસ લઈને આવેલા ખેડૂતોને 1,520 સુધીનો ભાવ મળ્યો હોવાથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે

સામાન્ય રીતે દિવાળી પહેલા વરસાદની સિઝન પૂરી થઈ જતી હોય છે અને દિવાળી બાદ લાભ પાંચમથી જ્યારે માર્કેટ યાર્ડ ગામે ગામ ખૂલે ત્યારે ખેડૂતો પોતાની કપાસ, મગફળી સહિતની જણસને વેચવા માટે થઈને આવતા હોય છે. જોકે ચાલુ વર્ષે નવરાત્રીમાં વરસાદ પડ્યો હતો જેથી કરીને ખેડૂતોને તેના ખેતરમાંથી તૈયાર માલ ઉપાડવામાં મોડું થયું હતું અને હાલમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે દિવાળી પછી પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે જે ખેડૂતોએ પોતાના ખેતરમાંથી કપાસનો પાક ઉપાડી લીધો છે તેને માલ ક્યાં રાખવો તે પ્રશ્ન ઊભો થયો છે આવા સમયે ખેડૂતો પોતાની પાસે રહેલો માલ વેચી શકે તે માટે થઈને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ માર્કેટયાર્ડ ખાતે આજે પણ વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોના માલની હરરાજી ચાલુ રાખવામાં આવી હતી અને ખેડૂતોને 1200 થી લઈને 1520 સુધીનો કપાસનો ભાવ મળેલ છે જેથી કરીને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે અને ન માત્ર કપાસ પરંતુ મગફળી સહિતના તમામ પાકોને હાલમાં હરાજી માટે મોરબીના માર્કેટયાર્ડમાં ખેડૂતો લઈને આવે છે અને તેઓના પાકને નુકસાન ન થાય તે માટે ખૂલી જગ્યામાં નહીં પરંતુ સેડ છે તે જગ્યા ઉપર ખેડૂતોનો માલ ઉતારવામાં આવે છે અને ત્યાં હરાજી કરીને માલનું વેચાણ કરવામાં આવે છે તેવી માહિતી યાર્ડના સેક્રેટરી કાંતિભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે.






Latest News