મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરવા માટે તડામાર તૈયારી શરૂ: આયોજકોની પત્રકાર પરિષદ યોજાઇ


SHARE













મોરબીમાં જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરવા માટે તડામાર તૈયારી શરૂ: આયોજકોની પત્રકાર પરિષદ યોજાઇ

મોરબીમાં શ્રી જલારામ શોભાયાત્રા સમિતિ (2025) દ્વારા જલારામ જયંતીની ઉજવણી દર વર્ષની જેમ જ કરવામાં આવશે જેથી તેના માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને સવારથી લઈને સાંજ સુધીના ભરચક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેની માહિતી આપવા માટે આજે પત્રકાર પરિષદ યોજાઇ હતી અને આયોજકોએ કહ્યું હતું કે, જલારામ જયંતીએ વિશેષ વ્યક્તિના હસ્તે કેક કટિંગ કરવામાં આવશે અને વડીલ વંદનાનો કાર્યક્રમ યોજાશે. 

સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપા ની 226 મી જન્મજયંતિ નિમિતે આગામી તા. 29 ઓક્ટોબરને બુધવારના રોજ મોરબીમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે આયોજનની રૂપરેખ આપવા માટે આજે મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ જલારામ મંદિરે આયોજકો દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયોજકોએ જણાવ્યુ હતું કે, દર વર્ષે ધામધુમથી જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવે છે. તેવી જ રીતે ઉજવણી કરવામાં આવશે. અને જલારામ જયંતિના દિવસે જલારામ પ્રાર્થના મંદીર ખાતે મહાયજ્ઞ, અન્નકુટ દર્શન તેમજ મહાઆરતી, વિશેષ વ્યક્તિના હસ્તે કેક કટિંગ કરવામાં આવશે, જોકે, છેલ્લે એક માહિનામાં લોહાણા સમાજના 12 વડીલોના અવસાન થયેલ છે જેથી આ વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું નથી પરંતુ જલારામ મંદિર ખાતે વડીલ વંદનાનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિર્મિતભાઈ કકકડ, ગીરીશભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, ભાવિનભાઈ ઘેલાણી, અશોકભાઈ પાવાગઢી, હરીશભાઈ રાજા, હસમુખભાઇ પૂજારા, રમનિકભાઇ ચંડીભમ્મર સહીતના આગેવાનો તેમજ મહિલા પાંખ દ્વારા જેહમત ઉઠાવવામાં આવી રહી છે.






Latest News