હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરવા માટે તડામાર તૈયારી શરૂ: આયોજકોની પત્રકાર પરિષદ યોજાઇ


SHARE











મોરબીમાં જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરવા માટે તડામાર તૈયારી શરૂ: આયોજકોની પત્રકાર પરિષદ યોજાઇ

મોરબીમાં શ્રી જલારામ શોભાયાત્રા સમિતિ (2025) દ્વારા જલારામ જયંતીની ઉજવણી દર વર્ષની જેમ જ કરવામાં આવશે જેથી તેના માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને સવારથી લઈને સાંજ સુધીના ભરચક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેની માહિતી આપવા માટે આજે પત્રકાર પરિષદ યોજાઇ હતી અને આયોજકોએ કહ્યું હતું કે, જલારામ જયંતીએ વિશેષ વ્યક્તિના હસ્તે કેક કટિંગ કરવામાં આવશે અને વડીલ વંદનાનો કાર્યક્રમ યોજાશે. 

સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપા ની 226 મી જન્મજયંતિ નિમિતે આગામી તા. 29 ઓક્ટોબરને બુધવારના રોજ મોરબીમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે આયોજનની રૂપરેખ આપવા માટે આજે મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ જલારામ મંદિરે આયોજકો દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આયોજકોએ જણાવ્યુ હતું કે, દર વર્ષે ધામધુમથી જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવે છે. તેવી જ રીતે ઉજવણી કરવામાં આવશે. અને જલારામ જયંતિના દિવસે જલારામ પ્રાર્થના મંદીર ખાતે મહાયજ્ઞ, અન્નકુટ દર્શન તેમજ મહાઆરતી, વિશેષ વ્યક્તિના હસ્તે કેક કટિંગ કરવામાં આવશે, જોકે, છેલ્લે એક માહિનામાં લોહાણા સમાજના 12 વડીલોના અવસાન થયેલ છે જેથી આ વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું નથી પરંતુ જલારામ મંદિર ખાતે વડીલ વંદનાનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિર્મિતભાઈ કકકડ, ગીરીશભાઈ ઘેલાણી, નરેન્દ્રભાઈ રાચ્છ, ભાવિનભાઈ ઘેલાણી, અશોકભાઈ પાવાગઢી, હરીશભાઈ રાજા, હસમુખભાઇ પૂજારા, રમનિકભાઇ ચંડીભમ્મર સહીતના આગેવાનો તેમજ મહિલા પાંખ દ્વારા જેહમત ઉઠાવવામાં આવી રહી છે.






Latest News