ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા નજીક નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાથી અસંખ્ય માછલાંના મોત


SHARE











મોરબીના ગોર ખીજડીયા નજીક નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાથી અસંખ્ય માછલાંના મોત

મોરબીના ગોર ખીજડીયા ગામ પાસે આવેલ નદીમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવેલ છે જેથી કરીને અસંખ્ય માછલાંના મોત નિપજ્યાં છે જેથી ગામના સરપંચે કેમિકલયુક્ત પાણી નદીમાં  છોડવામાં આવે છે જેથી કરીને અસંખ્ય માછલાંના મોત થયા છે તેવો આક્ષેપ કરેલ છે અને જો જીપીસીબી દ્વારા નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આગમી દિવસોમાં રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

મોરબીના ગોર ખીજડીયા ગામના સીમ વિસ્તારમાં છેલ્લા વર્ષોમાં પેપર મિલો સહિતના નાના-મોટા કારખાનાઓ આવેલા છે અને જુદાજુદા ઓદ્યોગીક એકમોમાંથી કેમિકલયુક્ત પાણી નદીમાં અને ચેકડેમમાં છોડવામાં આવે છે જેથી ખેતીના પાકોને તો નુકશાન થાય જ છે તેની સાથો સાથે માછલાંના પણ મોત થયા છે આજે ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ મોરડીયાએ સોશ્યલ મીડિયામાં એક વિડીયો મૂક્યો છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના ગામ પાસે નદીમાં કારખાનાઓમાંથી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે તેના માટે અગાઉ જીપીસીબીમાં રજૂઆત કરી હતી ત્યારે સેમ્પલ લેવામાં આવ્યા હતા જો કે, કોઈ કામ કરવામાં આવ્યું ન હતું તેવામાં આજે કેમિકલયુક્ત પાણી નટીમાં છોડવાથી અસંખ્ય માછલાંના મોત નિપજ્યાં છે જો આવીને આવી રીતે પ્રદૂષિત પાણી નદીમાં છોડવામાં આવશે તો પાણીજ્ન્ય રોગ ચાળો ફાટી નીકળે તેવી શ્ક્યતા છે જેથી કરીને પ્રદૂષણ રોકવા માટે થઈને ગ્રામ પંચાયત દ્વારા જીપીસીબીમાં રજૂઆત કરવામાં આવશે પછી પણ જો નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવે તો ના છૂટકે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News