મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગમાં શ્રમિકોને ગોંધી રાખવાની માહિતી ખોટી-તથ્યવિહિન: સિરામિક એસો.


SHARE













મોરબીના સિરામિક ઉદ્યોગમાં શ્રમિકોને ગોંધી રાખવાની માહિતી ખોટી-તથ્યવિહિન: સિરામિક એસો.

મોરબીના સિરામિક ઉદ્યોગમાં કોઈપણ યુનિટમાં શ્રમિકોને ગોંધી રાખવાની ઘટના આજ દિવસ સુધી બની નથી. અને સિરામિક પરિવાર હંમેશાં શ્રમિકોના હિત અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ રહ્યુ છે. ઉદ્યોગમાં કોઈપણ વ્યક્તિ પાસેથી બળજબરીપૂર્વક કામ લેવાતું નથી. ત્યારે તાજેતરમાં જે સોશ્યલ મીડિયા મારફતે માહિતી સામે આવી હતી તે તદન ખોટી અને તથ્યવિહિન હોવાનું મોરબી સીરામીક મેન્યુ .એસો. પ્રમુખે પત્રકારોને જણાવ્યુ છે.

હાલમાં મોરબી સીરામીક મેન્યુ. એસો.ના પ્રમુખે જણાવ્યુ છે કે, તાજેતરમાં સિરામિક ઉદ્યોગમાં પરપ્રાંતિય શ્રમિકોને ગોંધી રાખવામાં આવ્યા છે તેવી માહિતી સામે આવી હતી તે ફરિયાદ તદ્દન ખોટી અને તથ્યવિહિન હોવાનું સામે આવ્યું છે. અને કોન્ટ્રાક્ટર હાજર ન હોવાથી પરપ્રાંતિય શ્રમિકોને એક માસનો પગાર ચૂકવવામાં વિલંબ થયો છે તેવું સામે આવ્યું હતું. આજની તારીખે વિવિધ રાજ્યોમાંથી પરપ્રાંતિય શ્રમિકો મોરબીનાં સિરામિક કારખાનામાં રોજગાર માટે સ્વૈચ્છિક રીતે આવે છે, કારણ કે અહીં તેમને રોજીરોટી સાથે પારિવારિક અને સન્માનપૂર્ણ વાતાવરણ મળે છે. જો કે, અમુક તત્વો દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને મોરબી સિરામિક એસો. સખત શબ્દોમાં વખોડી કાઢે છે.






Latest News