મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી મકનસર પાંજરાપોળ ખાતે કાલે દાતાઓ સહિતનાઓની હાજરીમાં સત્સંગ હોલનું કરાશે ઓપનિંગ


SHARE











મોરબી મકનસર પાંજરાપોળ ખાતે કાલે દાતાઓ સહિતનાઓની હાજરીમાં સત્સંગ હોલનું કરાશે ઓપનિંગ

મોરબીની ધર્મપ્રેમી જનતા અને ઉદ્યોગકારોના સહકારથી આજે મોરબી પાંજરાપોળનો વિકાસ થયો છે અને ગુજરાતની નંબર વન પાંજરાપોળ મોરબીની છે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી તેવામાં કાલે ગૌ દર્શન, જલ દર્શન, વન દર્શન અને સત્સંગ હોલનું ઓપનિંગ રાખવામા આવ્યું છે

મોરબી પાંજરાપોળ દ્વારા લિલાપર, રફાળેશ્વર અને મકનસર ખાતે કુલ મળીને 6200 જેટલા ગૌવંશનો નિભાવ કરવામાં આવી રહ્યો છે અને મકનસર ખાતે આધુનિક સત્સંગ હોલનું ઓપનિંગ કાલે તા 6/10 ના રોજ બપોરે ૩ થી ૬ કલાકે રાખ્યું છે તેની સાથે સત્સંગ સભા પણ રાખવામા આવેલ છે. જેમાં મોરબીના તમામ ધૂન મંડળને આમંત્રિત કરવામાં આવેલ છે. તે ઉપરાંત ગૌસેવાના કામમાં સહયોગ આપતા ઉદ્યોગકારો સહિતના તમામ લોકો અને મોરબીના લોકોને પાંજરાપોળ ખાતે કાર્યક્રમમાં આવવા માટે ટ્રસ્ટી મંડળ ડો.નીતિનભાઈ આર. મહેતા(પ્રમુખ), વેલજીભાઈ ખોડાભાઈ પટેલ (ઉપપ્રમુખ),ભુપતભાઈ ચંદુલાલ દોશી (મંત્રી), કરશનભાઈ કાનજીભાઈ હોથી (પ્રાગજીભાઈ હોથી) (સહમંત્રી) તેમજ ટ્રસ્ટી પ્રવીણભાઈ ઓ. ભલોડિયા, કાંતીભાઈ અમૃતીયા (ધારાસભ્ય), વસરામભાઈ વાલજીભાઈ દેત્રોજા, હિતેશભાઈ કે.ભાવસાર, જયેશભાઈ શાહ, દેવજીભાઈ પટેલ અને નારાણભાઇ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.






Latest News