વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી મકનસર પાંજરાપોળ ખાતે કાલે દાતાઓ સહિતનાઓની હાજરીમાં સત્સંગ હોલનું કરાશે ઓપનિંગ


SHARE











મોરબી મકનસર પાંજરાપોળ ખાતે કાલે દાતાઓ સહિતનાઓની હાજરીમાં સત્સંગ હોલનું કરાશે ઓપનિંગ

મોરબીની ધર્મપ્રેમી જનતા અને ઉદ્યોગકારોના સહકારથી આજે મોરબી પાંજરાપોળનો વિકાસ થયો છે અને ગુજરાતની નંબર વન પાંજરાપોળ મોરબીની છે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી તેવામાં કાલે ગૌ દર્શન, જલ દર્શન, વન દર્શન અને સત્સંગ હોલનું ઓપનિંગ રાખવામા આવ્યું છે

મોરબી પાંજરાપોળ દ્વારા લિલાપર, રફાળેશ્વર અને મકનસર ખાતે કુલ મળીને 6200 જેટલા ગૌવંશનો નિભાવ કરવામાં આવી રહ્યો છે અને મકનસર ખાતે આધુનિક સત્સંગ હોલનું ઓપનિંગ કાલે તા 6/10 ના રોજ બપોરે ૩ થી ૬ કલાકે રાખ્યું છે તેની સાથે સત્સંગ સભા પણ રાખવામા આવેલ છે. જેમાં મોરબીના તમામ ધૂન મંડળને આમંત્રિત કરવામાં આવેલ છે. તે ઉપરાંત ગૌસેવાના કામમાં સહયોગ આપતા ઉદ્યોગકારો સહિતના તમામ લોકો અને મોરબીના લોકોને પાંજરાપોળ ખાતે કાર્યક્રમમાં આવવા માટે ટ્રસ્ટી મંડળ ડો.નીતિનભાઈ આર. મહેતા(પ્રમુખ), વેલજીભાઈ ખોડાભાઈ પટેલ (ઉપપ્રમુખ),ભુપતભાઈ ચંદુલાલ દોશી (મંત્રી), કરશનભાઈ કાનજીભાઈ હોથી (પ્રાગજીભાઈ હોથી) (સહમંત્રી) તેમજ ટ્રસ્ટી પ્રવીણભાઈ ઓ. ભલોડિયા, કાંતીભાઈ અમૃતીયા (ધારાસભ્ય), વસરામભાઈ વાલજીભાઈ દેત્રોજા, હિતેશભાઈ કે.ભાવસાર, જયેશભાઈ શાહ, દેવજીભાઈ પટેલ અને નારાણભાઇ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.






Latest News