વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી પાંજરાપોળની જગ્યામાં કોઈપણ ટ્રસ્ટી સ્વયં નિર્ણયથી કોઈપણ કાર્ય કરે તો ટ્રસ્ટી મંડળ જવાબદાર રહેશે નહી


SHARE











મોરબી પાંજરાપોળની જગ્યામાં કોઈપણ ટ્રસ્ટી સ્વયં નિર્ણયથી કોઈપણ કાર્ય કરે તો ટ્રસ્ટી મંડળ જવાબદાર રહેશે નહી

મોરબીમાં વર્ષોથી કાર્યરત પાંજરાપોળના ટ્રસ્ટી ગણ દ્વારા એક જાહેર ખુલાસો કરવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે, મોરબી પાંજરાપોળ ટ્રસ્ટી મંડળના કોઈપણ ટ્રસ્ટી દ્વારા સ્વયં નિર્ણયથી કોઈ પણ કાર્ય મોરબી પાંજરાપોળ ખાતે કરવામાં આવે તો તેના માટે શ્રી મોરબી પાંજરાપોળનું ટ્રસ્ટ મંડળ કોઈપણ પ્રકારે જવાબદાર રહેશે નહીં.

મોરબી પાંજરાપોળ ખાતે લગભગ 6200 જેટલા અબોલજીવનો નિભાવ કરવામાં આવે છે અને મોરબીના ઉદ્યોગકારો સહિતનાઓ તરફથી તેના માટે આર્થિક દાન આપવામાં આવે છે તે ઉપરાંત પાંજરાપોળની જગ્યામાં ઘાસચારાનું વાવેતર કરીને ગાયોના ચારાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે જોકે, મોરબી પાંજરાપોળ દ્વારા એક જાહેર ખુલાસો કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે મોરબી પાંજરાપોળ ટ્રસ્ટી મંડળના કોઈપણ ટ્રસ્ટી દ્વારા સ્વયં નિર્ણય કરીને કોઈ કાર્ય મોરબી પાંજરાપોળ ખાતે કરવામાં આવે તો તેના માટે મોરબી પાંજરાપોળનું ટ્રસ્ટી મંડળ કોઈપણ પ્રકારે જવાબદાર રહેશે નહીં જોકે આ નિર્ણયને લઈને ઠેર ઠેર ચર્ચાઓ થઈ રહી છે કે આ પ્રકારનો નિર્ણય લેવાની મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી મંડળને શા માટે ફરજ પડી છે. 






Latest News