ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડ ઉપર યુવાનનું મોત


SHARE











મોરબીના લખધીરપુર રોડ ઉપર યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર વૈભવ હોટલ પાસે આઇસર મેટાડોરમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી અને મૂળ આણંદના ગ્રામ્ય વિસ્તારના યુવાનનું મોત થયુ હોવાનું સામે આવ્યું હતું.બી ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે લખધીરપુર રોડ ઉપર વૈભવ હોટલની પાસેથી આઇસરમાંથી ડેડબોડી મળી આવી હતી અને તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે મૃતકનું નામ રાજુભાઈ કરમણભાઈ ઠાકોર (૪૫) રહે. બુધેજ ગામ તા.તારાપુર જી.આણંદ નું મોરબી ખાતે મોત થયુ હતું.જેથી તેમના મૃતદેહને તેના મોટા ભાઈ રમણભાઈ કરમણભાઈ ઠાકોર (૬૩) રહે.બુધેજ તારાપુર આણંદએ ઓળખી બતાવ્યો હતો.જેથી બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડીયાએ આ બાબતે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જેતપર ગામના બનાવમાં પોલીસ કાર્યવાહી

મોરબી તાલુકાના જેતપર ગામે ઘરમાં તોડફોડ અને લૂંટનો બનાવ બન્યો હતો.જે ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એચ.એસ.તિવારી દ્વારા ગુનામાં સંડોવાયેલ પિયુષ ચમનભાઈ સચાણીયા (૩૨) રહે.હળવદ તથા તુષાર ગોરધનભાઈ પરમાર (૨૩) રહે.હળવદને પકડીને જેલ હવાલે કરાયા હતા જયારે મુખ્ય આરોપી પંકજ ગોઠી રહે. હળવદને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

મારામારીમાં ઇજા

મોરબી કોટક બેંક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજા થતાં યાગ્નિક મનહરભાઈ કણસાગરા (૨૭) રહે.રાજનગર નાની કેનાલ પાસેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.તેમ પોલીસે જણાવેલ છે અને તે બાબતે આગળની ધોરણસરની કાર્યવાહી કરી હતી.જ્યારે મોરબીના આલાપ રોડ પટેલનગર ખાતે રહેતા મણીબેન પ્રેમજીભાઈ ઠોરીયા નામના ૮૫ વર્ષના વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે રસ્તામાં કૂતરું આડું ઉતરતા વાહન સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત થતા સારવાર માટે લઈ જવાયા હતા.

બાળકી સારવારમાં

મોરબીના શનાળા ગામ પાસે શ્રીજી એસ્ટેટ ખાતે આવેલ બ્લુ સ્ટાર પોલીમર ખાતે રહી મજૂરી કામ કરતા પરિવારના પરીવારની નેવ્યાંસી નરેશભાઈ નલવાયા નામની અઢી વર્ષની બાળકી ગરમ પાણીના ટબમાં દાઝી જતા સારવાર માટે લઈ જવામાં આવી હતી. જ્યારે અલાપ રોડ ઉપર બાઈકમાંથી પડી જતા સિરાજ રફિકમહંમદ (૩૨) ને સારવાર માટે લઈ જવાયો હતો.તેમજ હળવદના રાયધ્રા ગામે રહેતા પરિવારનો હાર્દિક પ્રકાશભાઈ પરાસડિયા નામના સાત વર્ષનો બાળક સાયકલમાંથી પડી જતા સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો.

લજાઈ અકસ્માત

મોરબી-રાજકોટ હાઇવે લજાઈ ચોકડી પાસે બે બાઈક સામસામા અથડાયા હતા.જેમાં ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી.જેમાં રાજકોટના ગીરીશભાઈ વાલજીભાઈ સોલંકી (૫૨) તથા સામેના બાઇકમાં રહેલ અશ્વિનભાઈ કેશુભાઈ રાણવા (૩૯) અને કેશુભાઈ માલાભાઈ રાણવા (૬૦) રહે.બંને નાના રામપર ટંકારાને ઇજા થતા ત્રણેયને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને અત્રે પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી તેમ પોલીસે જણાવેલ છે.






Latest News