મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબીની ફેક્ટરીમાં લાગેલ આગનો ૧૨.૬૨ લાખનો નુકશાની વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE











મોરબીની ફેક્ટરીમાં લાગેલ આગનો ૧૨.૬૨ લાખનો નુકશાની વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબીમાં બાલાની ટેકનો પેક લી. ફેકટરીમાં આગ લાગતા તેનો વીમો એસ.બી.આઇ જનરલ ઇન્સ્યુ. નો વીમો હતો જો કે, વીમા કંપનીએ રેપ્યુડ લેટરથી વિધુતના દબાણને કારણે આગ લાગી હોવાનુ કહી વીમો ના મંજુર કર્યો હતો જેથી તેઓએ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો અને કોર્ટે ૧૨,૬૨,૮૧૩ રૂપિયા તા.૨૦/૦૬/૨૦૨૪ થી ૬ ટકાના વ્યાજ અને અન્ય ખર્ચના ૫૦૦૦ સાથે ચુકવવા વીમા કંપનીને ચૂકવવા માટે હુકમ કરેલ છે.

આ કેઇસની હકીકત એવી છે કે, બાલાજી ટકનોપેક લી. ના ભાગીદાર મીત આનંદભાઈ દેત્રોજા તેમા ભાગીદાર તેની ફેકટરી માં તા.૪/૦૧/૨૦૨૪ માં આગ લાગતા ભારે નુકશાન થયું હતું અને તેઓએ વીમો એસ.બી.આઇ. જનરલ ઇન્સ્યુ. નો લીધેલ હતો. અને સમયસર તમામ કાગળો વીમા કંપનીને મોકલી આપેલ હતા તો પણ વીમા કંપનીએ કહેલ કે વધારે પડતુ વિધુત દબાણને કારણે આગ લાગી છે તેમ કહી રેપ્યુડ લેટરથી કલેઈમ ના મંજુર કરેલ જેથી મીતભાઈ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરેલ કોર્ટ વીમા કંપનીનો નિર્ણય ભુલ ભરેલો છે અને તેની સેવામાં ખામી હોઈ બાલાજી ટેકનો પેક ને ૧૨,૬૨,૮૧૩ પુરા તા.૨૦/૦૬/૨૦૨૪ થી ૬ ટકાના વ્યાજ થી ચુકવવાનો હુકમ કરેલ છે સાથે અન્ય ખર્ચના ૫૦૦૦ મંજુર કરેલ છે અને જો સમય મર્યાદામાં રકમ ન ચુકવે તો ૯ ટકા લેખે ચુકવવાની રહેશે તેવો આદેશ કરેલ છે.






Latest News