ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી: પ્રેમિકા સાથે લગ્ન ન થતાં પરણિત યુવાને ન કરવાનું કરી નાખ્યું


SHARE











મોરબી: પ્રેમિકા સાથે લગ્ન ન થતાં પરણિત યુવાને ન કરવાનું કરી નાખ્યું

મોરબી તાલુકાના ભડીયાદ નજીક આવેલ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનના લગ્ન થઈ ગયા હતા જો કે, પ્રેમિકા સાથે તેના લગ્ન થયા ન હતા જેથી કરીને તેને લાગી આવતા આ યુવાને પોતે પોતાની જાતે રૂમની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ભડિયાદ નજીક આવેલ પેન્ઝોન શિરા નામના કારખાનાની લેબર કોલોનીના ક્વાર્ટરની અંદર રહેતા પાલસિંગ બ્રિજરાજસિંહ (32) નામના યુવાને પોતે પોતાના રૂમની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા. અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ કરી રહેલ ફિરોજભાઈ સુમરા સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, મૃતક યુવાનના 6 મહિના પહેલા લગ્ન થયા હતા અને તેની પત્ની વતનમાં રહે છે જોકે, મૃતક યુવાનના લગ્ન તેની પ્રેમિકા સાથે થયા ન હતા જેથી તેને લાગી આવતા તે યુવાને લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે.

બાઇક સ્લીપ

મોરબીના કોયલી ગામે રહેતો રોહિતભાઈ વેલજીભાઈ પંચાસરા (19) નામનો યુવાન પીઠળ અને પડાણા ગામ વચ્ચેથી બાઇકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જ્યારે હળવદના ખારીવાડી વિસ્તારમાં રહેતા લીલાબેન મહાદેવભાઇ દલવાડી (55) નામના મહિલા બાઇકમાં બેસીને જૂના ઘનાળા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાને કારણે અકસ્માત થયો હતો જેમાં મહિલાને ઈજા થતાં ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરી છે






Latest News