વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ઇ-શ્રમ કાર્ડ મહાકેમ્પ યોજાશે


SHARE











મોરબીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ઇ-શ્રમ કાર્ડ મહાકેમ્પ યોજાશે

મોરબી સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઇ જોષીએ જણાવ્યુ છે કે આગામી સમયમાં ઇ-શ્રમ કાર્ડ મહાકેમ્પનું આયોજન કરવામાં આવશે. જેથી મોરબીમાં તથા આસપાસના વિસ્તારમાં રહેતા ભૂદેવોએ તેના જરૂરી ડોક્યુમેન્ટ તા. ૯-૧૨ થી ૨૫-૧૨ સુધીમાં જમાં કરાવવાના છે અને ડોક્યુમેન્ટની પાછળ જે તે વ્યક્તિએ પોતાનું નામ, ૨-અલગ અલગ મોબાઈલ નંબર અને સરનામું ફરજિયાત લખવું છે

વધુમાં આ ઇ-શ્રમ કાર્ડ દ્વારા મળતા લાભો જણાવ્યુ છે જેમાં ઇ- મ કાર્ડ આખા ભારત દેશમાં માન્ય રાખવામાં આવશે, પીએમએસબીવાય ની જેમ વીમા કવરેજ મળશે, અકસ્માતથી મૃત્યુ અથવા સ્થાય રૂપથી વિકલાંગ થાય તો ૨ લાખ રૂપિયા અને આંશિક રૂપ થી વિકલાંગ થાય તો ૧ લાખ રૂપિયા મળવા પાત્ર છે, અલગ પ્રકારની સામાજિક સુરક્ષા ના લા વિતરણ ઈ- શ્રમ કાર્ડ દ્વારા કરવામાં આવશે, મહામારીનાં સમય દરમિયાન કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા મદદ મળવામાં સરળતા રહેશે

આ કેમ્પ માટે ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કોપી આપવાની છે જેમાં ઘરના તમામ સભ્યોના આધાર કાર્ડ, આધાર કાર્ડ જેટલા સભ્યોના જમાં કરાવો તે દરેક સભ્ય ના બેંક એકાઉન્ટની પ્રથમ પેજ ની કોપી આપવાની છે અને આ ડોક્યુમેન્ટ સાર્થક વિદ્યાલય, ભારતી વિદ્યાલય, ઔદિચ્ય બ્રાહ્મણ વાડી, ચા.મ. મોઢ બ્રાહ્મણ વાડી, શ્રીમાળી બ્રાહ્મણ વાડી, પરશુરામ ધામ મંદિર અને નલિની વિદ્યાલય ખાતે જમા કરાવવાના છે અને જેમને ડોક્યુમેન્ટ જમાં કરાવ્યા હશે તેને કેમ્પની તારીખની જાણ ફોનથી કરવામાં આવશે અને વધુ માહિતી માટે કિશોરભાઈ પંડ્યા (૯૯૨૪૯૬૮૧૭૧)કેયુરભાઈ પંડ્યા (૯૪૨૯૪૮૪૪૪૦) અને અમુલભાઈ જોષી (૯૨૨૭૧૦૦૦૧૧) નો સંપર્ક કરવાનો રહેશ






Latest News