મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહિંસરા ગામ પાસે થયેલ ફાયરિંગના બનાવમાં પકડાયેલ બે આરોપીના જામીન મંજૂર


SHARE











માળીયા (મી)ના મોટા દહિંસરા ગામ પાસે થયેલ ફાયરિંગના બનાવમાં પકડાયેલ બે આરોપીના જામીન મંજૂર

માળીયા મિયાણાના મોટા દહિંસરા ગામ પાસે ફાયરિંગનો બનાવ બનેલ હતો જેથી આર્મ્સ એકટ તથા ખની હુમલો કરવાની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં પકડાયેલ આરોપી તરૂણ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઇ ગામી અને પરેશ ગોપાલભાઈ ઉધરેજા (પટેલ)એ તેઓના વકીલ મારફતે મોરબીના એડી. પ્રિન્સી. ડીસ્ટ્રી. એન્ડ સેસન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેમાં આરોપીના વકીલની દલીલ અને જુદીજુદી કોર્ટના પુરાવાઓને ધ્યાને લઈને બને આરોપીના શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે.

માળીયા(મીં) પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ હતી કે, મોટા દહીંસરા ગામ સામે ફરિયાદી પોતાના હવાલા વાળી ફોરવ્હીલ ગાડી હતો ત્યાર અજાણ્યા વ્યક્તિએ તેના ઉપર ફાયરિંગ કર્યું હોવાની ફરિયાદ આપી હતી જે ગુનામાં પહેલા આરોપી તરીકે પરેશ ગોપાલભાઈ ઉધરેજા (પટેલ)ની ધરપકડ કરી અને ત્યાર બાદ ફરિયાદી જ તેના ઉપર ફાયરિંગ કરાવ્યુ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે ફરિયાદ તરૂણ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઇ ગામીની આરોપી તરીકે ધરપકડ કરી હતી અને તે બંને આરોપી જેલમાં હતા દરમ્યાન તરૂણ ઉર્ફે ગોપાલભાઈ હંસરાજભાઇ ગામીએ તેના વકીલ ગોપાલભાઈ ઓઝા અને પરેશ ગોપાલભાઈ ઉધરેજાએ તેના વકીલ દીલીપભાઈ અગેચાણીયા મારફત સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી જેમાં આરોપીના વકીલોએ કરેલ દલીલો અને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના વીવીધ ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે શરતોને આધીન બંને આરોપીઓને મુક્ત કરવા માટેનો હુકમ કરેલ છે. આ કેસમાં તરૂણ ગામી તરફે ગોપાલભાઈ ઓઝા અને મેનાઝબેન પરમાર રોકાયેલ હતા જયારે આરોપી પરેશ ગોપાલભાઈ ઉધરેજા તરફે દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા, ઉષા બાબરીયા રોકાયેલા હતા.






Latest News