મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં નિધન થયું તે પહેલા મોરબીના પ્રદીપભાઇ વાળાએ કરી હતી તેઓની સાથે ટેલિફોનીક વાત


SHARE











પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પ્લેન દુર્ઘટનામાં નિધન થયું તે પહેલા મોરબીના પ્રદીપભાઇ વાળાએ કરી હતી તેઓની સાથે ટેલિફોનીક વાત

મોરબીમાં રહેતા ભાજપના સિનિયર આગેવાન પ્રદીપભાઈ વાળા કે જેઓએ વિદ્યાર્થી પરિષદથી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે કામ કર્યું હતું તેઓએ આજે જ સવારે વિજયભાઈ રૂપાણી સાથે વાત કરી હતી ત્યારે લંડન જવા માટેની વાત વિજયભાઇએ તેઓને કરી હતી જેથી તેઓની મુસાફરી સુખરૂપ રહે તેના માટેની શુભકામનાઓ તેમને પ્રદીપભાઇ વાળાએ પાઠવી હતી. જો કે, આજે બનેલી દુર્ઘટનામાં વિજયભાઈનું નિધન થતાં તેઓએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે લંડન ખાતે રહેતી તેઓની દીકરીને મળવા માટે થઈને અમદાવાદથી પ્લેનમાં જઈ રહ્યા હતા દરમિયાન અમદાવાદમાં થયેલ પ્લેન દુર્ઘટનામાં 180 જેટલા લોકોનું મોત નીપજ છે જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પણ સમાવેશ થાય છે ત્યારે મોરબીમાં રહેતા ભાજપના સિનિયર આગેવાન પ્રદીપભાઈ વાળાએ જણાવ્યું હતું કે આજે સવારે મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને 11 વર્ષ પૂર્ણ થયા છે તેને ધ્યાને લઈને લોકોની સુખાકારી માટે જે કામ કરવામાં આવ્યા છે અને જે નિર્ણય લેવામાં આવેલ છે તેની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઇ હતી ત્યાં આવતા પહેલા પ્રદીપભાઇ વાળાએ આજે સવારે રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેમની સાથે તેઓ લંડન જઈ રહ્યા છે અને 15 થી 20 દિવસ પછી પાછા આવવાના છે તેવી વાત થયેલ હતી જેથી તેઓની મુસાફરી સુખરૂપ રહે તેના માટે પ્રદીપભાઇ વાળાએ તેઓને શુભકામનાઓ પાઠવી હતી જોકે, આજે બપોરના સમયે અમદાવાદ ખાતે જે પ્લેન દુર્ઘટના થયેલ છે તેમાં વિજયભાઈ રૂપાણીનું નિદાન થતાં વર્ષોથી વિજયભાઈ સાથે કામ કરતા મોરબીમાં રહેતા પ્રદીપભાઈ વાળાએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.




Latest News