મોરબી જીલ્લામાં બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને મહિલાને ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનાવનાર વૃદ્ધના આગોતરા જામીન નામંજૂર મોરબીમાં સૌપ્રથમ વખત પેન ફેશિયલ ફ્રેક્ચર માટે ચહેરાની જટીલ પ્લાસ્ટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી વાંકાનેરમાં રાજ્યસભા સાંસદ દ્વારા ગુજરાત કબડ્ડી લીગ ટુર્નામેન્ટનું આયોજન માંડવીનાં રમણીય બીચ ઉપર સાંસદ સહીતનાઓ દ્રારા યોગ દિવસની ઉજવણી ગાંધીનગર ચિલ્ડ્રન્સ રીસર્ચ યુનિવર્સિટીનું તારણ, બાળકોની તંદુરસ્તીને હવા, સૂર્ય પ્રકાશ, યોગ અને કસરત ખુબ જ અસરકર્તા મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન: માર્કશીટો મંગાવવામાં આવી મોરબીમાં શનાળા રોડે ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે માથાકૂટ કરી ટીશર્ટ ફાડી નાખ્યું મોરબીના પીપળી ગામ પાસેની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓના ફાંફા: મહિલાઓએ કર્યો હોબાળો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર ટ્રેનની ઝપટે ચડી જવાથી આધેડનું મોત


SHARE















માળીયા (મી)ના વાધરવા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર ટ્રેનની ઝપટે ચડી જવાથી આધેડનું મોત

માળીયા (મી)ના વાધરવા ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન ઉપર માનસિક બીમાર આધેડ ટ્રેનની ઝડપે ચડી જતા તેને શરીરને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ અકસ્માત મૃત્યુના બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતકના દીકરાએ જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ વિરમગામ તાલુકાના થોરી થાભા ગામમાં આવેલ સેનવા વાસમાં રહેતા ખોડાભાઈ દેવાભાઈ સેનવા (51) નામના આધેડ માળીયા તાલુકાના વાધરવા ગામ પાસેથી પસાર થતી રેલવે લાઇન ઉપર ટ્રેનની ઝડપે ચડી ગયા હતા જેથી તેને શરીરને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતુ ત્યારબાદ અકસ્માત મૃત્યુના બનાવની મૃતક આધેડના દીકરા રાહુલભાઈ ખોડાભાઈ સેનવા (24)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક આધેડ છેલ્લા બે મહિનાથી માનસિક બીમાર હતા અને બે દિવસ પહેલા તેઓ પોતાના ઘરે કોઈને કશું કહ્યા વગર નીકળી ગયા હતા દરમિયાન માળિયાના વાધરવા ગામ પાસે ટ્રેનના પાટા ઉપર ચાલતી વખતે ટ્રેનની ઝડપે ચડી જવાના કારણે તેને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ દ્વારકાધીશ હોટલ નજીક આવેલ બસ સ્ટેશન પાસે કોઈ અજાણ્યા 40 થી 45 વર્ષના યુવાનનું બીમારી સબબ મોત નીપજયું હતું જેથી આ બનાવ અંગેની વાંકાનેર તાલુકાના ઠીકરયાળી ગામે રહેતા મનસુખભાઈ પોલાભાઈ બેડવા (52)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ નોંધ કરી મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.






Latest News