મોરબીનાં વીશીપરામાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ : 10ને ઈજા મોરબી જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતના વિજેતા સરપંચોના નામ જાણો અહીં... લાઇવ મોરબીના વિદ્યુતનગરમાં રહેતા વૃદ્ધનુ હાર્ટ એટેકથી મોત માળીયા મીયાણામાં માવતરના ઘરે આવેલ પરિણીતાએ જીવન ટુકાવ્યું મોરબીના મકનસર ગામે પત્નીને ચડામણી કરવાની ના પાડતા યુવાનને કૌટુંબિક ભાઈ-ભાભી સહિત પાંચ શખ્સોએ માર માર્યો મોરબીના બૌદ્ધનગરમાં જુગાર રમતા 5 શખ્સ 3700 ની રોકડ સાથે પકડાયા મોરબી જીલ્લામાં બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને મહિલાને ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનાવનાર વૃદ્ધના આગોતરા જામીન નામંજૂર મોરબીમાં સૌપ્રથમ વખત પેન ફેશિયલ ફ્રેક્ચર માટે ચહેરાની જટીલ પ્લાસ્ટિક સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સામન્ય ચૂંટણી જાહેર થયેલ 62 પૈકીની 38 ગ્રામ પંચાયતો સમરસ


SHARE















મોરબી જીલ્લામાં સામન્ય ચૂંટણી જાહેર થયેલ 62 પૈકીની 38 ગ્રામ પંચાયતો સમરસ

મોરબી જિલ્લાના આવેલા પાંચ તાલુકાની કુલ મળીને 62 ગ્રામ પંચાયતની સામન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જેથી ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જો કે, આગેવાનોની  સમજાવટ કે પછી સરકાર તરફથી મળતી ગ્રાન્ટમાં ગામને ફાયદો થાય તે માટે ઘણા ગામના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચી લીધા હતા જેથી કરીને મોરબી જીલ્લામાં 62 પૈકીની 38 ગ્રામ પંચાયતો સમરસ થઈ ગયેલ હોવાનું માહિતી સામે આવી રહી છે.

ગુજરાતમાં છેલ્લા લગભગ અઢી વર્ષથી ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ખોરંભે ચડી ગયેલ હતી જો કે, ચૂંટણી પંચના કમિશનર દ્વારા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી હતી જેમાં સામાન્ય ચૂંટણી અને પેટા ચૂંટણી હોય તેવી દરેક પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં કુલ 62 પંચાયતોની સામાન્ય ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને તેના માટે ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો પણ ભરવામાં આવ્યા હતા જો કે, મંગળવારે ફોર્મ પાછા ખેચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે ઘણા ઉમેદવારોએ તેના ઉમેદવારી પત્રો પાછા ખેંચી લીધા હતા જેથી 50 ટકા કરતાં વધારે ગ્રામ પંચાયતો સમરસ થઈ ગયેલ છે.

હાલમાં અધિકારી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં 62 પંચાયતોની સામાન્ય ચૂંટણી હતી તેમાંથી મોરબી તાલુકાની 17, માળીયા તાલુકાની 10, હળવદ તાલુકાની 4, વાંકાનેર તાલુકાની 4 અને ટંકારા તાલુકાની 3 ગ્રામ પંચાયતો સમરસ થઈ ગયેલ છે જો કે, જે ગામમાં સરપંચ માટે કે પછી સભ્ય માટે પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી તેનું ચિત્ર હજુ સુધી સ્પષ્ટ થયેલ નથી અને તેના માટેની ગણતરી સહિતની કામગીરી હજુ પણ મામલતદાર ઓફિસમાં કરવામાં આવી રહી છે. અત્રે ઉલેખનીય છેકે, જે ગામ સમરસ થાય છે તે ગામમાં વસ્તીના આધારે સરકાર તરફથી વિશેષ ગ્રાન્ટ આપવામાં આવે છે તે ઉપરાંત બીજા પણ ઘણા ફાયદ ગામને થતાં હોય છે જેથી ધારાસભ્યઓ, ગામના આગેવાનો સહિતના લોકો દ્વારા ગ્રામ પંચાયતો સમરસ થાય તેના માટે મહેનત કરી રહ્યા હતા જેના ફળ સ્વરૂપે જીલ્લામાં જાહેર કરવામાં આવેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાંથી 50 ટકા કરતાં વધારે ગ્રામ પંચાયતો સમરસ થઈ ગયેલ છે.






Latest News