મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે


SHARE















મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધાયેલા દારૂના ગુના સંદર્ભે મોરબી એલસીબી ના પીઆઇ પંડ્યા તથા સ્ટાફ દ્વારા બુટલેગર વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી.જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને હુકમ આધારે એલસીબી ના સ્ટાફ દ્વારા બુટલેગર રામરામ મેઘારામ તરડ જાટ (૨૪) રહે.ડુંગરી ગામ તા.સાંચોર જી.જાલોર રાજસ્થાનને પકડી પાડવામાં આવ્યો હતો. અને તેને હાલ ભાવનગર જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.

બાળક-મહિલા સારવારમાં

મોરબી નજીકના વાવડી ગામે રહેતા પરિવારનો બાળક બાઇક પાછળ બેસીને જતો હતો ત્યારે ગામ નજીક બાઇકમાંથી નીચે પડી જતા નમન મિલનભાઈ કાંજીયા નામના ૧૩ વર્ષના બાળકને ઈજા થતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.જ્યારે મોરબીના શનાળા રોડ નવા બસ સ્ટેશન પાસેથી બાઈકમાં બેસીને જતા સમયે બાઇક સ્લીપ થઈ જતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ભાવિનાબા મિહિરસિંહ જાડેજા (ઉમર ૪૨) રહે.કાયાજી પ્લોટ શેરી નંબર-૮ શ્લોક એપાર્ટમેન્ટને ઇજા થતા અત્રે ખાનગી ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.તે રીતે જ મોરબી શનાળા રોડ ગંદ્રાની વાડી ખાતે રહેતા ચંદ્રેશ મહેશભાઈ નકુમ નામનો બાર વર્ષનો બાળક બાઇકમાં બેસીને જતો હતો ત્યારે અકસ્માતે પડી જતા તેને અત્રે સાગર ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયો હતો.

અજાણ્યો યુવાન સારવારમાં

મોરબીના રાજપરથી શનાળા જતા રસ્તે રામાપીરના મંદિર પાસેથી વાહન અકસ્માતમાં ઘવાયેલી હાલતમાં આશરે ચાલીસેક વર્ષના અજાણ્યા યુવાનને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જેની જાણ થતા બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ દ્વારા આગળની તપાસ કરવામાં આવી હતી.જ્યારે જામનગરના જોડિયા તાલુકામાં આવેલા માણામોરા ગામે રહેતા પરિવારના ક્રીસ ધર્મેન્દ્રભાઈ રાઘવાણી નામનો પાંચ વર્ષનો બાળક ગામના તળાવ પાસે સાયકલ ચલાવતો હતો તે સમયે પડી જવાથી ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

વૃદ્ધ સારવારમાં

હળવદના નવા ઘનશ્યામગઢ ગામે રહેતા ચકુભાઈ ગોવિંદભાઈ ગોપાણી નામના ૭૫ વર્ષના વૃદ્ધ પુત્ર પાછળ બાઇકમાં બેસીને જતા હતા ત્યારે ગામ નજીક વાહન સ્લીપ થતાં ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદના માથક ગામે હરપાલસિંહની વાડીએ રહીને મજૂરી કામ કરતા આશિષભાઇ અજયભાઈ દેવીપુજક નામના ૪૫ વર્ષના યુવાનને વાડી નજીક બાઇકમાંથી પડી જતા ઇજા થતા અત્રે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.તેમજ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતા કુંવરજીભાઈ દેવરાજભાઈ સવસાણી નામના ૬૨ વર્ષના આધેડ બાઇકમાં બેસીને ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં પડી જતા ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.






Latest News