મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં સિરામિકની ગરમ રાખ માથે પડતાં દાઝી ગયેલ 6 માસના બાળકનું સારવારમાં મોત


SHARE















મોરબી નજીક કારખાનામાં સિરામિકની ગરમ રાખ માથે પડતાં દાઝી ગયેલ 6 માસના બાળકનું સારવારમાં મોત

મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રમતા છ માસના બાળક ઉપર સિરામિકની ગરમ રાખ પડી હતી જેથી તે બાળક દાઝી ગયું હતું અને તેને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે બાળકનું મોત નીપજયું હતું જેથી બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધિરપુર રોડ ઉપર કાલિકાનગર પાસે આવેલ કાલી સીરામીક ખાતે રહેતા અને મજૂરી કામ કરતા મહેશભાઈ રાઠવાનો 6 માસનો દીકરો અંકિત ત્યાં ગત તા. 31/5 ના રાત્રિના નવેક વાગ્યાના અરસામાં રમતો હતો દરમ્યાન તેના ઉપર સીરામીકની ગરમ રાખ પડવાના કારણે તે બાળક દાઝી ગયો હતો જેથી તેને દાઝી ગયેલી હાલતમાં પ્રથમ સારવાર માટે મોરબીની સમર્પણ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સારવાર દરમિયાન આ બાળકનું મોત નીપજ્યું છે જેથી હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ફિનાઇલ પી જતાં સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર સેન્ટ મેરી સ્કૂલની પાછળના ભાગમાં આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતી અનીષાબેન સલીમભાઈ શેખ (17) નામની સગીરાકોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના અમરેલી ગામે રહેતા દિનેશભાઈ કાનાભાઈ ઝિંઝવાડીયા (60) નામના વૃદ્ધ મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ ગુરુકૃપા હોટલ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન કોઈ અજાણ્યા બાઇક ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી 






Latest News