મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે
મોરબીમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના બહાને યુવાન સાથે 1.51 કરોડની છેતરપિંડીના ગુનામાં 3 આરોપીની ધરપકડ: 3 દિવસના રિમાન્ડ મંજૂર
SHARE








મોરબીમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાના બહાને યુવાન સાથે 1.51 કરોડની છેતરપિંડીના ગુનામાં 3 આરોપીની ધરપકડ: 3 દિવસના રિમાન્ડ મંજૂર
મોરબીમાં રહેતા વેપારી યુવાનને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપવામાં આવી હતી અને ત્યારબાદ યુવાન પાસેથી ઓનલાઇન રૂપિયા જુદી જુદી બેંકના એકાઉન્ટમાં મેળવ્યા હતા જો કે, યુવાને રોકાણ કરેલા રૂપિયા તેને પાછા આપવામાં આવ્યા ન હતા જેથી 1.51 કરોડ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતની વેપારી યુવાને ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
મોરબીમાં રહેતા વેપારી યુવાન નૈમિષભાઈ કનૈયાલાલ પંડિત (39)એ વોટ્સએપ નંબર 9157782692 તથા 85265477801 ના ધારકો તેમજ જુદી જુદી બેંકના સાત એકાઉન્ટના ધારકોની સામે મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી કે, આરોપીઓએ ગુનાહિત કાવતરું કરીને વ્હોટ્સએપ દ્વારા ફરિયાદી યુવાન સાથે વાતચીત કરી હતી અને ઓનલાઇન યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી રૂપિયા કમાવવા માટેની લાલચ આપી હતી અને ફરિયાદી યુવાનનો વિશ્વાસ-ભરોસો કેળવીને તેની પાસેથી કુલ મળીને 1,51,02,500 રૂપિયા યુએસડીટી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવવામાં આવ્યા હતા અને બાદમાં તેને આ રૂપિયાયા પાછા આપવામાં આવેલ નથી જેથી યુવાનને વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ કરી હતી જેની તપસ મોરબી જિલ્લા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.કે. દરબાર અને તેની ટીમ કરી રહી હતી તેવામાં હાલમાં પોલીસે રાકેશભાઈ સોલંકી, રાકેશભાઈ રાઠવા અને અરવિંદભાઇ પરમાર નામના ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જેથી આ ગુનામાં સંડોવાયેલ અન્ય આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
હાલમાં પકડાયેલા ત્રણ આરોપીઓનો ગુનામાં કોનો શું રોલ હતો ?
આ ગુનાની તપાસ કરી રહેલા પીઆઇ કે.કે. દરબાર સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, આ ગુનામાં જે જુદાજુદા બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે પૈકીનું એક બેન્ક એકાઉન્ટ રાકેશભાઈ સોલંકીનું છે અને બેન્ક એકાઉન્ટ ખોલાવી આપીને તે ઓપરેટ કરવા માટે અન્ય આરોપીને આપી દેવામાં માટે તેને એક લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા અને આરોપી રાકેશભાઈ સોલંકી પાસે બેન્ક એકાઉન્ટ ખોલાવવા માટે રાકેશભાઈ રાઠવા અને અરવિંદભાઇ પરમાર આવેલ હતા અને તેઓને આ રીતે બીજાના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી આપે તો જે તે બેન્કના એકાઉન્ટમાં જે રકમ આવે તેના બે ટકા રકમ મળતી હતી તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેથી આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી સુધી પહોચવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.

