વાંકાનેર નજીક ટોલનાકા પાસેથી દારૂ ભરેલ કાર સાથે એકની ધરપકડ: 2.60 લાખનો મુદામાલ કબ્જે
મોરબી મહાનગરપાલિકા દ્રારા ઘર વિહોણા પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કેમ્પ યોજાયા
SHARE








મોરબી મહાનગરપાલિકા દ્રારા ઘર વિહોણા પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કેમ્પ યોજાયા
સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦(શહેરી) નું મોરબી મહા પાલીકા દ્રારા અમલીકરણ કરવામાં આવેલ છે.જેમાં BLC ઘટક અંતર્ગત નેશનલ બિલ્ડીંગ કોડના ધારા-ધોરણ મુજબ તમામ હવામાનને અનુરૂપ ૩૦ ચો.મી થી ૪૫ ચો.મી. કાર્પેટ વિસ્તાર સુધીની મર્યાદામાં ઓછામાં ઓછા બે રૂમ, રસોડું, અને શૌચાલય-બાથરૂમની સુવિધા સાથે પાકા નવા આવાસનું બાંધકામ માટે ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા કેમ્પ મેળાનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં સો ઓરડી. અર્બન હેલ્થ સેન્ટર (બાળ મંદિર), રામદેવ નગર મેઈન રોડ બાળા હનુમાન મંદિર આગળ બગીચામાં, સાંઈબાબા મંદિર રણછોડનગર વીસીપરા, શક્તિમાં મંદિર શનાળા અને દલવાડી સર્કલ પચ્ચીસ વારીયું ખાતે મેળા યોજયા હતા.ઉપરોક્ત મોરબી શહેરી હદ વિસ્તારના ૧૬૨ ઘર વિહોણા પરિવારોએ BLC ઘટકના કેમ્પનો લાભ લીધેલ. BLC ઘટકનો લાભ લેવા માંગતા બાકી રહેતા શહેરીજનો મોરબી મહાનગરપાલિકા કચેરીના આવાસ વિભાગનો સંપર્ક કરે તેમ મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર (પ્રોજેક્ટ) એ યાદીમાં જણાવેલ છે

