મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન


SHARE













મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન

મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલા ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે નવરંગ માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૨૮/૩/૨૬ શનિવારે આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે.

મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે નવરંગ માંડવાનું આયોજન કરાયું છે અને જેમાં સવારે થાંભલી રોપણ, નવચંડી યજ્ઞ, બિડું હોમવાનો સમય: સાંજે 4 વાગ્યે, ભુવાના સામૈયા સાંજે ૫ વાગ્યે, મહાપ્રસાદ સાંજે ૬ વાગ્યે, મહાઆરતી સાંજે ૭ વાગ્યે, ડાકલાની રમઝટ રાત્રે ૯ વાગ્યે યોજાશે આ તકે રાવણદેવ હિતેષભાઇ (ગોંડલ વાળા) સહિત ભુવાઓ માતાજીના દુહા છંદ ગરબાની રમઝટ બોલાવશે. જેથી ધાર્મિક કાર્યક્રમ નો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે શ્રી ધક્કાવાળી મેલડી માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન

મોરબીના ધક્કાવાળી મેલડી માતાજી મંદિરએ ચૈત્રી નવરાત્રી મહોત્સવ અંતર્ગત મંદિરે તા.૨૫ ને બુધવારએ રાત્રે ૮:૩૦ વાગે મંદિરના આંગણે ઓર્કેસ્ટ્રા મ્યુઝીક પાર્ટી સાથે રાસ ગરબાનું આયોજન કરાયુ છે. 






Latest News