મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

હળવદ યાર્ડમાં જણસ વેંચીને ઘરે જતાં ખેડૂતને રસ્તામાં આંતરીને ઢગ સાધુ સહિતના બે શખ્સે કરી 1.27 લાખની લૂંટ


SHARE















હળવદ યાર્ડમાં જણસ વેંચીને ઘરે જતાં ખેડૂતને રસ્તામાં આંતરીને ઢગ સાધુ સહિતના બે શખ્સે કરી 1.27 લાખની લૂંટ

ધ્રાંગધ્રા તાલુકાનાં જીવા ગામનો ખેડૂત તેની જણસ હળવદ યાર્ડમાં વેચીને 1.12 લાખ રૂપિયા લઈને ઘરે જતો હતો ત્યારે રસ્તામાં કારમાં સાધુના વેસમાં આવેલ શખ્સ સહિતના બે શખ્સે તે ખેડૂતને મંદિરનો રસ્તો પૂછવાના બહાને રસ્તમાં રોકીને તેની પાસેથી રોકડા રૂપિયા 1.27 લાખનો મુદામાલ લૂંટી લીધેલ છે અને ખેડૂતને કારની સાથે ઢસડીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા ખેડૂતોને સારવારમાં ખસેડાયેલ છે અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરી છે.

ધ્રાંગધ્રા તાલુકાનાં જીવા ગામના રહેવાસી અરજણભાઈ રણછોડભાઈ નામના ખેડુત હળવદ માર્કેટ યાર્ડમાં પોતાના તલ વેચવા માટે આવ્યા હતા. અને તલનું વેચાણ કરીને આવેલ 1.12 લાખ રૂપિયા લઈને તેઓ બાઇકમાં પોતાના ઘર તરફ જતાં હતા ત્યારે હળવદના કોયબા રોડ ઉપર કારના ચાલકે તેઓના બાઇકને આંતરીને બાઇક ઉભું રખાવ્યું હતું. ત્યારે કારના ડ્રાઇવરે ખેડૂતને મંદિર વિષેની માહિતી પૂછી હતી અને કારમાં સાધુ ભેગા છે તેને ત્યાં જવું છે તેવું કહ્યું હતું જેથી અરજણભાઈએ તેઓને હનુમાન મંદિરનો રસ્તો બતાવ્યો હતો અને ત્યાર બાદ કારના ડ્રાઇવરે તેઓને કહ્યું હતું કે, આવા સાધુ ક્યાંય જોવા નહીં મળે પગે લાગી લો. જેથી અરજણભાઈ તેઓને કારમાં પગે લાગવા ગયા હતા ત્યારે ડ્રાઇવર અને બાપુએ તેઓને પકડી રાખીને તેની પાસે રહેલા 1.12 લાખ રૂપિયા અને તેઓના પાકિટમાં રહેલ 15 હજાર ઝૂંટવી લીધા હતા અને ત્યાર બાદ અરજણભાઈને કારની સાથે ઢસડીને લઈ ગયા હતા અને રસ્તામાં છોડીને કાર લઈને ભાગી ગયા હતા જેથી ઇજા પામેલા ખેડૂતને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હાલમાં હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.






Latest News