મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદ યાર્ડમાં જણસ વેંચીને ઘરે જતાં ખેડૂતને રસ્તામાં આંતરીને ઢગ સાધુ સહિતના બે શખ્સે કરી 1.27 લાખની લૂંટ


SHARE













હળવદ યાર્ડમાં જણસ વેંચીને ઘરે જતાં ખેડૂતને રસ્તામાં આંતરીને ઢગ સાધુ સહિતના બે શખ્સે કરી 1.27 લાખની લૂંટ

ધ્રાંગધ્રા તાલુકાનાં જીવા ગામનો ખેડૂત તેની જણસ હળવદ યાર્ડમાં વેચીને 1.12 લાખ રૂપિયા લઈને ઘરે જતો હતો ત્યારે રસ્તામાં કારમાં સાધુના વેસમાં આવેલ શખ્સ સહિતના બે શખ્સે તે ખેડૂતને મંદિરનો રસ્તો પૂછવાના બહાને રસ્તમાં રોકીને તેની પાસેથી રોકડા રૂપિયા 1.27 લાખનો મુદામાલ લૂંટી લીધેલ છે અને ખેડૂતને કારની સાથે ઢસડીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા ખેડૂતોને સારવારમાં ખસેડાયેલ છે અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરી છે.

ધ્રાંગધ્રા તાલુકાનાં જીવા ગામના રહેવાસી અરજણભાઈ રણછોડભાઈ નામના ખેડુત હળવદ માર્કેટ યાર્ડમાં પોતાના તલ વેચવા માટે આવ્યા હતા. અને તલનું વેચાણ કરીને આવેલ 1.12 લાખ રૂપિયા લઈને તેઓ બાઇકમાં પોતાના ઘર તરફ જતાં હતા ત્યારે હળવદના કોયબા રોડ ઉપર કારના ચાલકે તેઓના બાઇકને આંતરીને બાઇક ઉભું રખાવ્યું હતું. ત્યારે કારના ડ્રાઇવરે ખેડૂતને મંદિર વિષેની માહિતી પૂછી હતી અને કારમાં સાધુ ભેગા છે તેને ત્યાં જવું છે તેવું કહ્યું હતું જેથી અરજણભાઈએ તેઓને હનુમાન મંદિરનો રસ્તો બતાવ્યો હતો અને ત્યાર બાદ કારના ડ્રાઇવરે તેઓને કહ્યું હતું કે, આવા સાધુ ક્યાંય જોવા નહીં મળે પગે લાગી લો. જેથી અરજણભાઈ તેઓને કારમાં પગે લાગવા ગયા હતા ત્યારે ડ્રાઇવર અને બાપુએ તેઓને પકડી રાખીને તેની પાસે રહેલા 1.12 લાખ રૂપિયા અને તેઓના પાકિટમાં રહેલ 15 હજાર ઝૂંટવી લીધા હતા અને ત્યાર બાદ અરજણભાઈને કારની સાથે ઢસડીને લઈ ગયા હતા અને રસ્તામાં છોડીને કાર લઈને ભાગી ગયા હતા જેથી ઇજા પામેલા ખેડૂતને સારવાર માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હાલમાં હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે.






Latest News