મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ફટાકડાના વેપારીઓને પાંચ વર્ષ માટે લાયસન્સ રીન્યુ કરી આપવાની માંગ


SHARE











મોરબીમાં ફટાકડાના વેપારીઓને પાંચ વર્ષ માટે લાયસન્સ રીન્યુ કરી આપવાની માંગ

મોરબીમાં ફટાકડાના વેપારીઓને માત્ર બે વર્ષ માટે ફટાકડાનું લાયસન્સ રીન્યુ કરી આપવામાં આવે છે તેના બદલે પાંચ વર્ષ માટે ફટાકડાનું લાયસન્સ રીન્યુ કરી આપવામાં આવે તેવી માંગ સાથે મોરબી ફટાકડા એસો.ના પ્રમુખની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

મોરબી ફટાકડા એસો.ના પ્રમુખ નિતિનભાઈ પોપટ, ઉપપ્રમુખ મનીષભાઈ વાઘડિયા તેમજ વિપુલભાઈ ટોળીયા, પરેશભાઈ હિરાણી સહિતના સભ્યો દ્વારા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં આશરે 50 થી 60 વેપારીઓ દ્વારા ફટાકડાનો નાના પાયે વેપાર કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવામાં આવે છે અને ફટાકડાના વેપારીઓ માટે વખતો વખત ઘડેલા નિયમોને આધીન દર બે વર્ષ માટે ફટાકડાનું લાયસન્સ રીન્યુ કરવામાં આવે છે. એટ્લે કે મોરબીના વેપારીઓ સરકારના તમામ નિયમોનું અક્ષરશ પાલન કરે છે. અને ફટાકડાએ પેટ્રોલ કે ડીઝલની માફક આપોઆપ સળગી ઉઠે એવો જવલનશીલ પદાર્થ નથી. અને ખાસ કરીને ફટાકડાના લાયસન્સ હોલ્ડર વેપારીઓ ફાયર સેફટીના તમામ નિયમોનું સરકારની સુચના મુજબ પાલન કરે છે. અત્રે ઉલેખનીય છે કે, ફાયર વર્કસ (મેન્યુફેકચરીંગ+મેગેઝીન) અને ફાયર ક્રેકર ટ્રેડીંગ માટે અલગ અર્થઘટન હોવું જોઈએ પરંતુ અધિકારીઓને અર્થઘટન કરવામાં અસમંજસ થતી હોવાથી ફાયર ક્રેકર ટ્રેડીંગ વાળાઓ માટે અલગ અધિકાર/ પરિપત્ર આપવામાં આવે તેવી માંગ છે. અંતમાં મોરબીના વેપારીઓએ જણાવ્યુ હતું કે. અહીના કોઈ વેપારી ફટાકડા બનાવવા કે મેગેઝીન મેન્યુફેકચરીંગ કરતા નથી. જેથી હાલમાં સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર મોરબીના વેપારીઓને માત્ર બે વર્ષ માટે ફટાકડાનું લાયસન્સ રીન્યુ કરવામાં આવે છે તેને પાંચ વર્ષ માટે કરી આપવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News