મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં જર્જરિત ઈલેક્ટ્રીક થાંભલો બદલવાની કોંગ્રેસની માંગ


SHARE













મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં જર્જરિત ઈલેક્ટ્રીક થાંભલો બદલવાની કોંગ્રેસની માંગ

મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં ઈલેક્ટ્રીકનો થાંભલો જર્જરિત છે જે ગમે ત્યારે લોકો માટે જોખમી સાબિત થાય તેવી શક્યતા છે જેથી તેને બદલાવવા માટેની મોરબી શહેર કોંગ્રેસનાં મહામંત્રીએ વીજ કંપનીના ઇજનેરને રજૂઆત કરેલ છે. 

મોરબી શહેર કોંગ્રેસ સંગઠન મંત્રી સુરપાલસિંહ. એસ. જાડેજાએ પી.જી.વી.સી.એલ.ના ડેપ્યુટી ઇજનેરને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના વોર્ડ નં. 9માં આવતા શનાળા રોડ, ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ, એલ-543 ની બાજુમાં  ઈલેક્ટ્રીકનો થાંભલો આવેલ છે જે જર્જરીત અવસ્થામાં છે આ થાંભલો ગમે ત્યારે નિર્દોષ વ્યક્તિ માટે જોખમી સાબિત થાય તેવી શક્યતા છે. જેથી કરીને ચોમાસા પહેલા થાંભલો તાત્કાલિક બદલાવવામાં આવે તેવી માંગ કરેલ છે. અને આવી જ રીતે મોરબીમાં જે કોઈ પણ જગ્યાએ જોખમી થાંભલા આવેલ હોય તે બદલાવવામાં આવે તેવી પણ રજૂઆત કરેલ છે.






Latest News