મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા વિનામૂલ્યે પક્ષીઓ માટે પાણીના કુંડા-માળાનું વિતરણ કરાયું
SHARE








મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા વિનામૂલ્યે પક્ષીઓ માટે પાણીના કુંડા-માળાનું વિતરણ કરાયું
મોરબીમાં આવેલ શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા પક્ષી માટે માટીના કુંડા અને માળાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે રાહદારીઓ અને જીવદયાપ્રેમીઓ ત્યાંથી કુંડા અને માળા લેવા માટે આવ્યા હતા આ તકે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા, મણિલાલ કાવર, એ.એસ. સુરાણી, ભીખાભાઈ લોરિયા, મહાદેવભાઈ ચિખલીયા, નાનજીભાઈ મોરડીયા, ટોબરિયા હનુમાનજી ગૌશાળાના સંચાલક હરખજીભાઈ, કાનજીભાઈ શેરસિયા, મગનભાઈ ગામી, તુષારભાઈ દફતરી, પિયુષભાઈ શાણજા, રમેશભાઈ રૂપાલા સહિતના હાજર રહ્યા હતા તેવી માહિતી લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સેક્રેટરી ત્રિભોવનભાઈ ફુલતરિયાએ આપેલ છે.

